ભારતીય રસોડામાં કેટલાક એવા મસાલા છે જે ભોજનનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.
વરિયાળી આ મસાલાઓમાંથી એક છે. તેમાં વિટામીન, ફાઈબર, કેલ્શિયમ, એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી બેક્ટેરીયલ, એન્ટી ફંગલ ગુણ હોય છે.
કેટલાક લોકો વરિયાળીનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે પણ કરે છે. તેની તાસીર ખૂબ જ ઠંડી હોય છે તેનું સેવન કરવાથી તમને ગરમીનો અનુભવ થતો નથી.
આજે અમે તમને વરિયાળીનું સેવન કરવાથી શરીરમાં થતા ફાયદાઓ અને વજન ઘટાડવામાં તે કેવી રીતે મદદરૂપ થાય છે તે વિશે જણાવીશું.
જો તમે જલ્દીથી જલ્દી વજન ઘટાડવા માંગો છો તો તમે વરિયાળીના પાણીનું સેવન કરી શકો છો.
વરિયાળીમાં મોટી માત્રામાં ફાઈબર હોય છે. જે શરીરની ચરબીને ઝડપથી બર્ન કરવામાં મદદ કરે છે.
વરિયાળીની ચા વજન ઘટાડવામાં ઘણી અસરકારક સાબિત થાય છે. આ માટે પાણી ઉકાળતી વખતે માત્ર એક ચમચી વરિયાળી નાખો અને અડધી ચમચી ગોળ ઉમેરીને ચા બનાવો.
તમે વજન ઘટાડવા માટે વરિયાળીના બીજનો પાવડર પણ ઉપયોગ કરી શકો છો. આ માટે મુઠ્ઠીભર વરિયાળી લો. તેને સારી રીતે પીસીને પાવડર બનાવીને દરરોજ તેનું સેવન કરો.
સ્થૂળતા ઘટાડવામાં પણ શેકેલી વરિયાળી ખાવી ખૂબ જ ફાયદાકારક છે. આ માટે એક ચમચી વરિયાળી લો અને તેને ધીમી આંચ પર શેકી લો. શેક્યા પછી તેને દરરોજ તમારા ભોજનમાં સામેલ કરો.
માહિતી ગમે તો લાઈક- શેર કરો અને આવી વધુ વિગતો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.