બદલાતી જીવનશૈલી અને ખરાબ ખાવાપીવાની આદતોને કારણે આજકાલ લોકોનુ વજન વધવા લાગ્યુ છે, એવામા જો તમે સવારે ઉઠીને મેથી અને વરિયાળીનુ પાણી જરુર પીઓ. ચલો જાણીએ તેને બનાવવાની રીત અને તેના ફાયદા વિશે.
ડો. મિનાક્ષી આર્યની અનુસાર સવારે ઉઠીને મેથી અને વરિયાળીનુ પાણી પીવાથી પેટ સંબધિત બીમારીઓ દૂર થાય છે. આ વજનને ઓછુ કરે છે.
મેથી અને વરિયાળીનુ પાણી બનાવવા એક કપ પાણીમા 1 ચમચ વરિયાળી અને મેથી પલાળીને રાખો. પછી સવારે મેથી અને વરિયાળીને અલગ કરીને એ પાણીને પી લો.
મેથી અને વરિયાળીનુ પાણી પીવાથી બોડીને ડિટોક્સ કરવામા મદદ કરે છે. તેમા રહેલા પોષકતત્વો શરીરમા રહેલી ગંદકીને દૂર કરે છે.
મેથી અને વરિયાળીનુ પાણી પીવાથી શરીરમા રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તેમા રહેલા એંટી ઓક્સિડેંટ ગુણ શરીરમા રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે.
મેથી અને વરિયાળીનુ પાણી પીવાથી પેટ સાફ રહે છે. રોજ તેનુ પાણી પીવાથી પાચનશક્તિ મજબૂત કરવામા મદદ મળે છે. સાથે તે કબજિયાત અને અપચા જેવી સમસ્યા દૂર થાય છે.
મેથી અને વરિયાળીનુ પાણી પીવાથી શરીરનુ વજન ઓછુ થાય છે. સાથે તેના બીજ ખાવાથી શરીરની ચરબી દૂર થાય છે.
મેથી અને વરિયાળીનુ પાણી પીવાથી પેટનો સોજો દૂર થાય છે, આ ઉપરાંત તેના પાણીના સેવનથી પેટ ફૂલવાની સમસ્યા પણ દૂર થાય છે.