રક્ત કોષોનું નિર્માણ: તે લાલ રક્ત કોષો (RBC) બનાવવામાં મદદ કરે છે, જે ઓક્સિજનને શરીરના વિવિધ ભાગોમાં પહોંચાડે છે. નર્વસ સિસ્ટમનું સ્વાસ્થ્ય સુગમ બનાવે છે. DNA અને RNA નું ઉત્પાદન: તે કોષ વિભાજન અને વારસાગત પદાર્થોના નિર્માણમાં મદદ કરે છે. એનર્જી મેટાબોલિઝમ: તે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટને એનર્જીમાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે.
થાક, કમજોરી, ચક્કર આવવું, શ્વાસ લેવામાં તકલીફ. હાથ-પગમાં સુનવાળું, યાદશક્તિ નબળી પડવી, ચાલવામાં તકલીફ, ડિપ્રેશન. હોમોસિસ્ટીનનું સ્તર વધવું, જે હાર્ટ અટેકનું જોખમ વધારે છે.
ડિનરમાં કેટલાક શાકાહારી ખોરાકનું સેવન કરીને તમે શરીરમાં ઝડપથી વિટામિન B12 વધારી શકો છો.
ડાયટિશિયનના જણાવ્યા અનુસાર, શરીરમાં B12 જેવા જરૂરી તત્વોની ઉણપને ફોર્ટિફાઇડ ફૂડ દ્વારા દૂર કરી શકાય છે.
આ પ્રકારના ચોખામાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. તેને મર્યાદામાં ખાવાથી શરીરમાં એનિમિયાને રોકવામાં મદદ કરી શકે છે.
શાકાહાર ફુડની વાત કરીએ તો, ડેરી ઉત્પાદનો અને મગની દાળ જેવી શાકાહારી વસ્તુઓમાં પણ જોવા સૌથી વધુ B12 જોવા મળે છે. જેમાં તમે દહીં-દૂધ, ચીઝ લઈ શકો છો.
શાકાહરી લોકો હંમેશા સવાલ કરે છે કે વિટામીન બી12 માટે હું શું ખાઉં તો તેઓ અંકુરત મગ,પાલક, મશરૂમ, ઓટ્સ સહિતના ફૂડ ખાઈ શકે છે.
શરીરમાં B12ની ઉણપ દૂર કરવા માટે સપ્લીમેન્ટ્સની મદદ લો, જો લેવલ નોર્મલ હોય તો પાલક કે અન્ય વસ્તુઓ ખાવાથી આ લેવલ નિયંત્રિત કરી શકાય છે.