પીપળાનું ઝાડ ઘરમાં ઉગી જાય તો શું કરવું ?


By Hariom Sharma29, Oct 2023 11:19 AMgujaratijagran.com

જાણવા જેવું

વાસ્તુ અનુસાર ઘરમાં કે છત પર પીપળનું ઝાડ ઉગી જાય તો અશુભ માનવામાં આવે છે. જોકે હિન્દુ ધર્મમાં તેની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઉજ્જૈનનાં પંડિત જ્યૌતિષાચાર્ય કૈલાશ નારાયણ શર્મા પાસેથી જાણીએ કે બહાર પૂજા કરવામાં આવતા પીપળાનું ઝાડ ઘરમાં ઉગી જાય તો શું કરવું જોઈએ.

પીપળાનાં ઝાડને શુભ માનવામાં આવતું નથી

પંડિતજીના કહ્યા અનુસાર પીપળાનું ઝાડ ઘરમાં અથવા ઘરની બહાર ઉગી જાય તો આ બન્ને પરિસ્થિતિઓમાં તેને શુભ માનવામાં આવતુ નથી.એટલું જ નહીં જો પીપળાનું ઝાડ ઘરની છત પર ઉગી જાય તો પણ અશુભ માનવામાં આવે છે.

સુખ શાંતિનો થાય છે

પીપળાનું ઝાડ ઘરની છત પર ઉગી જાય તો ઘરના લોકોનો વિકાસ અટકી પડે છે ઉપરાંત સુખ શાંતિનો નાશ થાય છે.

આ રીતે નિકાલ કરો

પીપળાનું ઝાડ ઘરમાં ઉગી જાય તો એને તરત કાપીને ફેંકશો નઈ તેનાથી પાપ લાગે છે. તેની 45 દિવસ પૂજા કરો અને કાચુ દૂધ ચઢાવો.ત્યારબાદ તેને જડમાંથી ઉખાડી કોઈ ખાલી જગ્યા પર લગાવી દો.

You may also like

ઘરે ઉગાડો નાગરવેલ પછી મજાથી ખાઓ

ખાલી પેટ 15 દિવસ સુધી ખાવ લીમડાના પત્તા, થશે ચમત્કારિક ફાયદા

મંદિરમાં મૂકી આવો.

પૂજા પાઠ કર્યા વગર પીપળાનાં ઝાડનો નિકાલ કરવામાં આવે તો પિતૃઓને કષ્ટ થાય છે. તો તેની વિઘીવત પૂજા પાઠ કરી કૂંડામાં મૂકી મંદિરમાં મૂકી આવો.

આ વાત યાદ રાખો

પીપળાનાં ઝાડમાં બઘા જ દેવી દેવતાઓનો વાસ હોય છે. એવામાં જો તેને ઉખાડીને ફેંકવામાં આવે તો તે દેવી દેવતાઓનું અપમાન થયું ગણાશે તો આવુ કરવાથી ટાળો અને પૂજા પાઠ કરીને જ તેનું સ્થાન બદલો.

જો તમારા ઘરમાં પીપળાનું ઝાડ ઉગી જાય તો પંડિતજીના કહ્યા અનુસાર જ તેનું સ્થાન બદલો.

ઘરે ઉગાડો નાગરવેલ પછી મજાથી ખાઓ