Vastu Tips : તકદીર ચમકાવવાના આ ઉપાયો તમે ક્યારેય અજમાવ્યા નહીં હોય, જાણી લો જલ્દ


By Vanraj Dabhi10, Dec 2023 10:42 AMgujaratijagran.com

તુલસીના પાન વડે આ ઉપાયો કરવાથી તમારું ભાગ્ય બદલાશે

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. તુલસી ભગવાન વિષ્ણુની પ્રિય પણ કહેવાય છે. તુલસીના પાન સંબંધિત કેટલાક ઉપાયો તમારા જીવનમાં મોટા ફેરફારો લાવી શકે છે, ચાલો જાણીએ.

ધનની અછત નહીં વર્તાઈ

તુલસીના પાન તમારા અલમારી અથવા પર્સમાં રાખવાથી પૈસાને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ ઉપાયથી તમને ક્યારેય પૈસાની કમીનો સામનો નહીં કરવો પડે.

વ્યવસાયમાં સફળતા મળે

જો તમારા ધંધામાં મંદી હોય તો તુલસીના પાનને વાસણમાં 3 દિવસ સુધી તુલસીના પાન પાણીમાં બોળી રાખો અને પછી આ પાણીને તમારી ઓફિસ અથવા ફેક્ટરીના મુખ્ય દરવાજા પર છાંટવથી ધંધામાં બરકત આવશે.

આર્થિક સમૃદ્ધિ મળે

જો તમે આર્થિક સમૃદ્ધિ મેળવવા માંગતા હોવ તો શનિવારે તુલસીના 11 પાન અને 2 કેસરના દાણાને 100 ગ્રામ કાળા ચણાની સાથે પીસી લો. આ ઉપાયથી આર્થિક સમૃદ્ધિ આવે છે.

You may also like

Vastu Tips For Home: ઘરના મુખ્યદ્વાર પર લગાવો આ વસ્તુઓ, સુ:ખ-સમૃદ્ધિનું થશે આગમન

Vastu Tips: વાસ્તુ અનુસાર, ઘરની આ જગ્યાઓએ ભૂલથી પણ ન મૂકવી ચાવીઓ

સુખ અને શાંતિ બની રહે

પરિવારમાં સુખ-શાંતિ બનાવી રાખવા માટે રસોડામાં તુલસીના કેટલાક પાન રાખો. તેનાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમની ભાવના જળવાઈ રહેશે.

ખરાબ નજરથી બચી શકો

જો પરિવારના કોઈપણ સભ્ય અથવા બાળકની ખરાબ નજરથી પરેશાન હોય તો બાળક પર તુલસીના 7 પાન અને કાળા મરી નાખીને તેને ખવડાવો.

પરિવારનું આરોગ્ય સારું રહે

જો તમે ઈચ્છો છો કે તમારા પરિવારનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે તો નહાવાના પાણીમાં તુલસીના પાન નાખો. આનાથી સ્નાન કરવાથી દરેકનું સ્વાસ્થ્ય સારું રહેશે.

વાંચતા રહો

સ્ટોરી ગમે તો લાઈક અને શેર કરતા રહો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે દીવો સળગાવવાના ફાયદા