ઘરમાંથી ગરોળી ઉભી પૂંછડીએ ભાગી જશે, બસ અજમાવો આ દેશી નુસખા


By Sanket M Parekh05, Jul 2023 03:59 PMgujaratijagran.com

ગરોળી

ગરમીના દિવસોમાં ઘરની દીવાલો પર ગરોળી જોવા મળવી સામાન્ય વાત છે. વારંવાર ભગાડવા છતાં ગરોળી પરત ફરે છે.

ગરોળીને ભગાડવાના ઉપાય

માર્કેટમાં ગરોળીને દૂર ભગાડવા માટે અનેક વસ્તુઓ મળે છે. અમે તમને કેટલીક એવી ઘરગથ્થુ વસ્તુઓ વિશે જણાવીશું, જેની મદદથી ગરોળીને સરળતાથી ભગાડી શકાય છે.

મરચા

ગરોળીને ભગાડવા માટે લાલ મરચા અને કાળા મરચાના પાવડરને પાણીમાં મિક્સ કરી દો. હવે આ પાણીને ઘરના દરેક ખૂણામાં સ્પ્રે કરો.

ઈંડાના છોતરા

ઈંડાના છોતરાની મદદથી પણ ગરોળીને ભગાડી શકાય છે. આ માટે તમે ઈંડાના છોતરાને ઘરના ખુણામાં રાખી શકો છો.

કૉફી પાવડર

ગરોળીને ભગાડવા માટે કૉફીનો પ્રયોગ પણ કરી શકાય છે. આ માટે કૉફી પાવડરમાં તમાકુ મિક્સ કરીને નાની-નાની ગોળીઓ બનાવીને તેને એવી જગ્યાએ ગોઠવી દો, જ્યાં ગરોળી વારંવાર આવતી હોય.

મોરનું પીછું

મોરના પીછાથી ગરોળી ડરે છે. આથી જ્યારે પણ ગરોળીને ભગાડવાની વાત આવે, ત્યારે મોરના પીછાનું નામ જરૂર લેવામાં આવે છે.

ડુંગળી

રસોડામાં સરળતાથી મળી આવતી ડુંગળીથી ગરોળીને ભગાડી શકાય છે. ડુંગળીમાં સલ્ફર હોય છે, જેની દુર્ગંધ ગરોળી સહન નથી કરી શકતી.

ઠંડુ પાણી

ગરોળીને ભગાડવા માટે ઠંડુ પાણી પણ કામમાં આવે છે. જ્યારે તમને ક્યાંય ગરોળી જોવા મળે, તો તેના પર તમે ઠંડુ પાણી છાંટી શકો છો.

લસણ

લસણની કળીને ઘરના દરવાજા અને બારી પર રાખી દો. જેથી ગરોળી આવી જગ્યાથી ઘરની અંદર નહીં આવે.

શ્રાવણ માસમાં શિવજીને ભૂલથી પણ આ વસ્તુ ન ચડાવતા