શ્રાવણ માસમાં શિવજીને ભૂલથી પણ આ વસ્તુ ન ચડાવતા


By Jivan Kapuriya05, Jul 2023 11:27 AMgujaratijagran.com

ધ્યાન રાખો

શ્રાવણ સામમાં શિવજીની પૂજાનું ખાસ મહત્વ છે. આ તકે તમે કરેલી મનોકામના શિવજી સુધી પહોચે છે. ત્યારે તેમની પૂજા વખતે આ ભૂલો ન કરશો.

કેતકીના ફૂલ

શિવલિંગ પર કેતકીના ફૂલ ચડાવવાથી ભગવાન શિવ નારાજ થઈ જાય છે. પૌરાણીક વાર્તાઓ અનુસાર કેતકી ના ફૂલએ બ્રહ્માજીના અસત્યનો સાથ આપ્યો હતો, એટલા માટે ભગવાન શિવ ક્રોધિત થઈ ગયા અને શ્રાપ આપ્યો હતો.

શંખ

શિવજીની પૂજામાં ક્યારેય શંખ નથી વગાળવામાં આવતો કે ક્યારેય શંખથી તેમનો જળાભિષેક કરવામાં આવતો નથી. પૌરાણીક વાર્તાઓ અનુસાર ભગવાન શંકરને ત્રિશુલ શંખચુડ નામના રાક્ષસનો વધ કર્યો હતો.

તુલસીના પાંદ કે છોડ ન ચઢાવો

શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની પૂજામાં તુલસીનાં પાંદ પણ નથી ચડાવી શકાતા. જેનાથી તમારે ભગવાન શિવના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે.

કંકુ અથવા સિંદૂર

ભગવાન ભોલેનાથ વૈરાગી છે, જે પોતાના આખા શરીરે ભભૂત લગાવે છે. પૂરાણો અનુસાર ભગવાન શિવ સંહારક છે તેથી તેમના પર કંકૂ કે સિંદૂર ન ચઢાવો

હળદર

હળદરનો ઉપયોગ તમામ દેવી-દેવતાઓની પૂજા કરવામાં થાય છે, પરંતુ ભગવાન શિવને હળદર ન ચઢાવશો. શાસ્ત્રો અનુસાર શિવને હળદર ચડાવવાથી ચંદ્ર નિર્બળ બની જાય છે.

તૂટેલા ચોખા

માન્યતાઓ અનુસાર તૂટેલા ચોખાને બિલકુલ શિવજીને ન ચડાવવા જોઈએ, તૂટેલા ચોખાને અશુદ્ધ માનવામાં આવે છે, જેનાથી તમારે તેમન પ્રકોપનો સામનો કરવો પડી શકે છે.

નારિયેળનું પાણી

મહાદેવ પર નારિયેળનું પાણી ક્યારેય ન ચડાવવું જોઈએ, જેને શાસ્ત્રોમાં યોગ્ય ગણવામાં આવ્યું નથી.જેથી તમે પણ આ ભૂલ કરશો નહિં, જો આવી ભૂલ કરી તો તમારે પણ ભગવાનનો પ્રકોપનો સામનો કરવો પડી શકે છે.

તમને ગુજરાતી જાગરણની આ સ્ટોરી પસંદ પડી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં.

ઘરની મલાઈમાંથી ચોખ્ખુ દાણાદાર ઘી બનાવવાની સરળ રીત, એક વખત ટ્રાય કરી જુઓ