ઉનાળામાં શેરડીનો રસ પીવાથી આ 5 મોટા ફાયદા થાય છે


By Kishan Prajapati24, Mar 2023 07:14 PMgujaratijagran.com

ઉનાળો

ઉનાળાની ઋતુમાં ઘણાં લોકો લૂથી બચવા માટે અલગ-અલગ પ્રકારના ઠંડા પીણાનું સેવન કરે છે.

ઠંડી તાસીર

શેરડીનો જ્યૂસની તાસીર ઠંડી હોવાથી તે ઉનાળાની ઋતુમાં ફાયદાકારક છે.

ફાયદો

ઉનાળામાં શેરડીનો રસ પીવાના ફાયદા અંગે જણાવીએ.

ઇમ્યુનિટી સ્ટ્રોંગ

શેરડીમાં રહેલાં હેપાટોપ્રોટેક્ટિવ અને એન્ટીઓક્સિડન્ટ ગુણ ઇમ્યુનિટી મજબૂત કરવાનું કાર્ય કરે છે.

લિવરમાં ફાયદાકારક

શેરડીના રસમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. જે લીવરને ડિટોક્સીફાઇ કરવામાં સહાયક માનવામાં આવે છે.

શરીર ઉર્જાવાન

શેરડીના રસમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઇડ્રેટ હોય છે. જે શરીરને ઉર્જાવાન બનાવે છે.

ત્વચા માટે ગુણકારી

એન્ટીઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર શેરડીનો રસ ત્વચા માટે ગુણકારી છે.

ફ્રી રેડિકલ્સ

શેરડીનો રસ પીવાશી માત્ર ફ્રી રેડીકલ્સની અસર ઓછી થાય છે. જેનાથી આપણે ખતરનાક કિરણોથી બચી શકાય છે.

કેન્સરથી બચવા

શેરડીના રસમાં એવાં ગુણ હોય છે જે તમને કેન્સરથી બચાવે છે. શેરડીનો રસ પીવાથી પ્રોસ્ટેટ અને બ્રેસ્ટ કેન્સરની સંભાવના ઘણી ઓછી થઈ જાય છે.

F&O ટ્રાન્ઝેક્શન પર સરકારે 25 ટકા સુધી STTમાં વધારો કર્યો, લોકસભામાં ફાયનાન્સ બિલ 2023 પસાર