ઉનાળામાં ચક્કર આવે તો શું કરવું?


By Smith Taral09, Jun 2024 02:58 PMgujaratijagran.com

તાપમાન વધવાના લીધે ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યા સર્જાઈ શકે છે. ખાસ કરીને ઘરની બહાર તડકામાં જવાથી લૂ લાગવી અને ચકકર આવવાની સમસ્યા થઈ શકે છે. આવો જાણીએ આવી સ્થિતીમાં શું કરવું જોઈએ

દિવસ દરમિયાન બહાર જવાનું ટાળો

11 વાગ્યાથી 4 વાગ્યાની વચ્ચે સૂર્યના કિરણો વધુ નુકસાનકારક હોય છે. આ સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ.

પાણી પીવાનું રાખો

ઉનાળામાં વધુ ગરમીને લીધે શરીર ઝડપથી ડીહાઈડ્રેટ થવા લાગે છે તેવામાં પુષ્કળ પાણી પીવું ઘણું જરૂરી છે

હળવા કપડા પહેરો

ગરમીમાં બને તેટલું હળવા કપડા જેવા કે સુતરાઊ કાપડનું શર્ટ અથવા લોવર પહેરવાનું રાખો. આનાથી ગરમી અને તડકા સામે રક્ષણ મળે છે

હળવા રંગના કપડાં પહેરો

કાળા, વાદળી અને લીલા જેવા ડાર્ક રંગ ગરમી વધુ શોષે છે જેથી તમને ઈરીટેશન થઈ શકે છે માટે સફેદ, પીળા અથવા ક્રીમ જેવા હળવા રંગના કપડા પહેરો

હળવા રંગના કપડાં પહેરો

કાળા, વાદળી અને લીલા જેવા ડાર્ક રંગ ગરમી વધુ શોષે છે જેથી તમને ઈરીટેશન થઈ શકે છે માટે સફેદ, પીળા અથવા ક્રીમ જેવા હળવા રંગના કપડા પહેરો

ચા અને કોફીથી દૂર રહો

ચા અને કોફીનું સેવન કરવાથી શરીરમા ગરમી વધે છે, અને ડીહાઈડ્રેશ થવાની પણ સંભાવના રહે છે.

ચહેરો ઢાંકવો

જો તમારે દિવસ દરમિયાન કોઈ કામ માટે બહાર જવાનું થાય તો, તમારો શરીર અને ચહેરાને વ્યસ્થિત રીત ઢાંકીને નીકળો

ફળો અને શાકભાજી ખાવો

શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે, શાકભાજી અને ફળોનું સેવન વધુમાં વધુ કરો, આમાં રહેલા મિનરલ્સ અને પાણીની માત્રા તમને લુ અને ડીહાઈડ્રેશન જેવી સમસ્યાથી બચાવે છે

મીઠાના પાણીથી પગ ધોવાથી મળે છે રાહત, જાણો વધુમાં