વરસાદી ઋતુમાં અથાણાંમાં ફૂગના કારણે બગડી જવાની શક્યતા વધી જાય છે કારણ કે આ ઋતુમાં સૂર્યપ્રકાશ ઓછો અને ભેજ વધુ હોય છે. આવો જાણીએ અથાણાંને લાંબા સમય સુધી સ્ટોર કરવાની કેટલીક ખાસ ટિપ્સ.
સૌથી પહેલી વાત કે પ્લાસ્ટિકના કન્ટેનરમાં અથાણું ન રાખો. જેમાં રાખવાથી તેની ખરાબ થવાની શક્યતા વધી જાય છે.
અથાણું હંમેશા કાચના કન્ટેનરમાં હવાની અવર જવર થાય એ રીતે રાખવું જોઈએ. જેનાથી અથાણું ઝડપથી બગડતુ નથી.
અથાણાંમાં હંમેશા મીઠું અને તેલનું પ્રમાણ વધુ માત્રામાં નાખવપં જોઈએ. આનાથી અથાણું લાંબા સમય સુધી બગડતું નથી. હકીકતમાં મીઠું અને તેલ અથાણાંમાં કુદરતી પ્રિઝર્વેટિવ તરીકેનું કામ કરે છે.
અથાણાંને ક્યારેક ક્યારેક સૂર્યપ્રકાશ આપતા રહો, જેનાથી અથાણાંમાં ફુગ લાગવાની શક્યતા ઓછી થઈ જાય છે. સાથે અથાણાંને બરણીમાંથી કાઢવા માટે સૂકા ચમચીનો જ ઉપયોગ કરો.
અથાણાંની બરણીને ઘરની સાફ અને સૂકી જગ્યા એટલે કે ભેજ વગરની જગ્યાએ રાખો, ભીના હાથ કે ભેજ વાળી દિવાલ પાસે અથાણાંને ન રાખો. તે ફૂગનું કારણ બની શકે છે.
અથાણાંને બરણીમાં ભરતા પહેલા બરણીની અંદર ચારે તરફ કોટનની મદદથી વિનેગરને લગાવો. આવું કરવાથી અથાણું જલ્દી બગડતું નથી.
અલગ અલગ અથાણાંને કાઢવા માટે એક જ ચમચીનો ઉપયોગ કરશો નહીં. તેનાથી પણ અથાણું ઝડપથી બગડી શકે છે.