અનિદ્રાની સમસ્યા દૂર કરશે આ મસાલા, જાણો તેનો ઉપયોગ


By Hariom Sharma09, Sep 2023 07:32 PMgujaratijagran.com

અનહેલ્ધી લાઇફ સ્ટાઇલ અને સ્ક્રીન ટાઇમ વધુ હોવાના કારણે ઊંઘ ના આવવાની સમસ્યા જોવા મળે છે. શું તમે જાણો છો તમારા રસોઇ ઘરમાં રહેલા મસાલા તમારી ઊંઘ ન આવવાની સમસ્યાને દૂર કરી શકે છે.

મેથીનું પાણી

જીરાનું પાણી

જીરાના પાણીનું સેવન કરવાથી અનિદ્રાની સમસ્યા દૂર થઇ શકે છે. આ માટે એક ગ્લાસ પાણીમાં જીરું નાખીને ઉકાળો. પાણીનો રંગ બદલાવા પર તેને ગાળીને સેવન કરવાથી સારી ઊંઘ આવે છે.

ફુદીનાનું પાણી

પોષકતત્ત્વોથી ભરપૂર ફુદીનાનું પાણી શરીરને હેલ્ધી રાખવાની સાથે તમારી ઊંઘની સમસ્યાને પણ દૂર કરે છે. આ માટે એક ગ્લાસ પાણીમાં ફુદીનાનાં પત્તા ઉકાળીને સેવન કરો.

જાયફળ

જાયફળમાં સેલેનિયમ, કોપર, વિટામિન સી અને બીટા કેરોટીન જેવા પોષકતત્ત્વો રહેલા છે. આ માટે જાયફળને તમારા ડાયેટમાં સામેલ કરીને રાત્રે નિરાંતની ઊંઘ લઇ શકો છો.

અજમો

અજમાનું સેવન કરવાથી પાચન તંદુરસ્ત રહે છે, સાથે મગજ પણ શાંત રાખી શકો છો. આ માટે અજમો ચાવવો અથવા ચા બનાવીને પીવો. આનાથી ઊંઘ સારી આવી શકે છે.

ઠંડી અને ગરમ વસ્તુઓ એક સાથે ખાવાથી આ નુકસાન થાય છે