હિન્દુ ધર્મમાં કુંડળીમાં ગ્રહોની સ્થિતિનું મજબૂત હોવું ખૂબ જરુરી છે જો કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો તમારે નુકસાન ભોગવવું પડે છે.
ચંદ્રને હિન્દુ ધર્મમાં મનનો કારક માનવામાં આવે છે. કુંડળીમાં ચંદ્રની સ્થિતિ નબળી હોવા પર વ્યક્તિ મનથી ખૂબ નબળો થાય છે.
મનથી નબળી વ્યક્તિ નિર્ણય લઇ શકતી નથી. વધુ પડતા લાગણીશીલ હોય છે અને માનસિક બિમારીઓ પણ થઈ શકે છે.
ચંદ્ર નબળા હોવાથી જાતકને અનિદ્રા, તાવ, શરદી, અસ્થમા જેવા રોગ થઇ શકે છે.
તમને જો આ લક્ષણો જણાય તો ચંદ્રને લગતા ઉપાયો અજમાવવા જોઈએ.
તમારે દરરોજ ઓમ સોં સોમાય નમ:ની માળા કરવી જોઈએ.
સોમવારે ઉપવાસ રાખી, ખીર ખાવી જોઈએ. મહાદેવની ઉપાસના કરી દાન પુણ્ય કરવા જોઇએ.