Heaven After Death: આવા લોકોને મૃત્યુ પછી સ્વર્ગમાં મળે છે જગ્યા


By Sanket M Parekh19, Aug 2025 03:40 PMgujaratijagran.com

ગરુડ પુરાણનો નિયમ

હિન્દુ ધર્મ શાસ્ત્રની જેમ ગરુડ પુરાણનું પણ વિશેષ મહત્ત્વ હોય છે. જેમાં વ્યક્તિના દેહ ત્યાગથી લઈને જન્મની યાત્રા વિશે વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આથી ગરુડ પુરાણના નિયમોનું પાલન કરવું જોઈએ.

સ્વર્ગમાં સ્થાન મેળનાર લોકો

આજે અમે આપને ગરુડ પુરાણ અનુસાર, એવા લોકો વિશે જણાવીશું, જેમને મૃત્યુ બાદ સ્વર્ગમાં જગ્યા મળે છે. તો ચાલો તેના વિશે વિસ્તારથી જાણીએ, જેથી આપને સાચી માહિતી મળી રહે.

કર્મના હિસાબે સ્વર્ગ કે નર્ક

ગરુડ પુરાણ અનુસાર, વ્યક્તિને તેના કર્મોના આધારે સ્વર્ગ અથવા નરક મળે છે. જો તમે સ્વર્ગમાં સ્થાન મેળવવા માંગતા હો, તો તમારે સારા કર્મો કરવા જોઈએ.

વડીલોનો આદર કરો

જે વ્યક્તિ વડીલોનું આદર-સન્માન કરે છે, તેનો જીવનમાં આવવાનું ઉદ્દેશ્ય સફળ થાય છે. આવા વ્યક્તિને સ્વર્ગમાં પણ સ્થાન મળે છે.

હંમેશા સારા કર્મો કરવા

જે વ્યક્તિ કોઈ સ્વાર્થ કે અપેક્ષા વિના હંમેશા સારા કર્મો કરે છે અથવા તેના માટે હંમેશા તૈયાર રહે છે, આવા વ્યક્તિને સ્વર્ગમાં સ્થાન મળે છે.

કોઈની મદદ કરવી

જો તમે કોઈની મદદ કરો છો, તો આ કર્મ વ્યક્તિને સ્વર્ગ તરફ લઈ જાય છે. જ્યારે પણ તક મળે, ત્યારે કોઈની મદદ કરવાથી પાછળ હટવું ન જોઈએ.

મહિલાઓનું સન્માન કરવું

ભારતમાં મહિલાઓને દેવીની જેમ પૂજવામાં આવે છે. આથી તમારે મહિલાઓનું સન્માન કરવું જોઈએ. આમ કરવાથી જ તમે સ્વર્ગમાં જઈ શકો છો, બીજો કોઈ રસ્તો નથી.

આવા લોકો નર્કમાં જાય છે

જો કોઈ વ્યક્તિ સ્ત્રીઓ પર અત્યાચાર કરે છે, અન્યને શારીરિક અને માનસિક પીડા પહોંચાડે છે અને ખોટા કામોમાં લિપ્ત રહે છે, આવા વ્યક્તિને નરકમાં જવાથી કોઈ રોકી શકતું નથી.

કયા લોકોએ સોનું ન પહેરવું જોઈએ