આ લોકોએ આમળા ન ખાવા જોઈએ, જાણો શું છે કારણ


By Jivan Kapuriya05, Aug 2023 03:31 PMgujaratijagran.com

જાણો

આમળા ખાવાથી શરીરથી લઈને વાળ સુધી અનેક ફાયદા થાય છે. સાથે જ કેટલાક લોકોના સ્વાસ્થ્યને ફાયદો થવાને બદલે નુકસાન પણ કરે છે. આવી સ્થિતિમાં આજે અમે જણાવવા જઈ રહ્યા છીએ કે ક્યા લોકોએ વધુ પ્રમાણામાં આમળા ન ખાવા જોઈએ.

ગેસની સમસ્યા

જે લોકોને એસિડિટીની સમસ્યા હોય તેમણે આમળાનું સેવન ટાળવું જોઈએ.તેમાં રહેલ વિટામિન-સીની વધુ માત્રા ગેસની સમસ્યાને વધારે છે.

સર્જરી પછી

જો તમે તાજેતરમાં સર્જરી કરાવી હોય તો તમારે આમળા ખાવાનું ટાળવું જોઈએ.તેનું સેવન કરવાથી રક્તસ્ત્રાવ થવાનો ખતરો રહે છે.

શુષ્ક ત્વચા

આમળામાં રહેલા કેટલાક તત્વો ડિહાઇડ્રેશનની સમસ્યાને વધારી શકે છે. જો તમારી ત્વચા શુષ્ક છે, તો તમારે તેને ખાવાની સાથે પુષ્કળ પાણી પીવું જોઈએ.

બ્લડ સુગરના દર્દી

આમળા ખાવાથી બ્લડ સુગર લેવલ ઓછું થાય છે. આવી સ્થિતિમાં જો તમે બ્લડ સુગરના દર્દી છો તો તમારે આમળાનું સેવન ન કરવું જોઈએ.

કબજિયાત દરમિયાન

આમળામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જેનાથી કબજિયાતની સમસ્યા થઈ શકે છે. આમળાનું વધુ સેવન કરવાથી મળ સખત થઈ શકે છે.

લોહીની બીમારી

જો તમને પહેલાથી જ લોહી સંબંધિત કોઈ બીમારી છે તો તમારે આમળાનું સેવન ન કરવું જોઈએ. આવા લોકોએ ડોક્ટરની સલાહ લીધા પછી જ આમળા ખાવો જોઈએ.

પેશાબમાં બળતરા

આમળામાં વિટામિન-સી હોય છે, જેનું વધુ સેવન કરવામાં આવે તો પેશાબમાં બળતરા થઆય છે.

આમળાનું સેવન યોગ્ય માત્રામાં કરવું જોઈએ.

જો તમે મશરૂમ ખાવાના શોખીન છો, તો આ વાત તમારા માટે જાણવી જરૂરી છે