આ લોકોએ ભૂલથી પણ ના ખાવો જોઈએ મૂળો


By Sanket M Parekh14, Nov 2023 04:15 PMgujaratijagran.com

હાઈપર ટેન્શન

વધારે મૂળાનું શાક ખાવાથી હાઈપર ટેન્શન અથવા લો બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. જો તમે પહેલાથી જ દવાઓ લેતા હોય, તો મૂળાનું શાક ખાવાનું ટાળવું જોઈએ.

વધારે આયરન

જો તમારા શરીરમાં આયરન વધારે પ્રમાણમાં હોય, તો તમારે મૂળાનું સેવન ટાળવું જોઈએ. વધારે મૂળો ખાવાથી પેટમાં દુખાવો, ઝાડા અને ચક્કર આવવા જેવી સમસ્યા થઈ શકે છે.

બ્લડ સુગર

બ્લડ સુગર લેવલ ઓછું થવા પર મૂળાનું શાક ખાવાનું ટાળવું જોઈએ. મૂળાનું વધારે સેવન કરવાથી હાઈપોગ્લાઈસીમિયાની પરેશાની થઈ શકે છે.

થાઈરૉઈડ

મૂળાનું વધારે સેવન કરવાથી થાઈરોઈડની સમસ્યા વધી શકે છે. જેમાં ગોઈટ્રોજન નામનું કમ્પાઉન્ડ હોય છે. જેનાથી થાઈરૉઈડની ગ્રંથી ખરાબ થઈ શકે છે.

You may also like

જો તમે આ કામ કરશો, તો તમારા મોઢામાંથી દુર્ગંધ નહીં આવે

વારંવાર માથાના દુખાવા પાછળ શરીરમાં સોડિયમની ઉણપ હોઈ શકે છે જવાબદાર, જાણો તેને કે

દૂધ ના પીશો

મૂળા ખાધા પછી તરત જ દૂધ પીવાથી ડાઈજેસ્ટિવ સિસ્ટમ બગડી જાય છે. મૂળો શરીરને ગરમાવો આપે છે અને તેના પછી તરત જ દૂધ પીવાથી બળતરા અને પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે.

ચા ના પીવો

ચા અને મૂળાને એકસાથે ખાવું નુક્સાનદાયક સાબિત થઈ શકે છે. આમ કરવાથી કબજિયાત અને એસિડિટી થઈ શકે છે, કારણ કે મૂળાની તાસિર ઠંડી હોય છે અને ચાની ગરમ.

પાચન સાથે સંકળાયેલી સમસ્યા થવા પર શરીરમાં દેખાય છે આ લક્ષણ