પાચન સાથે સંકળાયેલી સમસ્યા થવા પર શરીરમાં દેખાય છે આ લક્ષણ


By Sanket M Parekh14, Nov 2023 04:06 PMgujaratijagran.com

પાચન તંત્ર

જો તમારું પાચન તંત્ર ખરાબ થવા લાગે છે, તો અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. આ દરમિયાન કેટલાક લક્ષણો પણ જોવા મળી શકે છે.

ખરાબ લાઈફ સ્ટાઈલ અને ખાણીપીણી

મોટાભાગના લોકોને ખાણીપીણીમાં ફેરફાર અને ખરાબ લાઈફ સ્ટાઈલના કારણે પાચન સાથે સંકળાયેલી સમસ્યા જોવા મળે છે. જેનાથી બચવા માટે ડાયટ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ

ઊંઘ ના આવવી

અનેક વખત લોકોને ઊંઘના આવવાની સમસ્યા થવા લાગે છે. જે પાચન ખરાબ થવાનું લક્ષણ હોઈ શકે છે. લાંબા સમય સુધી પાચન ખરાબ રહેવાથી માથામાં દુખાવો પણ થવા લાગે છે.

વાળ ખરવા

પાચન તંત્ર ખરાબ થવા પર ઝડપથી વાળ ખરવા લાગે છે, કારણ કે વાળ નબળા પડવા લાગે છે. આવા લક્ષણોને ઈગ્નોર ના કરવા જોઈએ.

You may also like

વધુ પડતું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે નુક્સાન, જાણો શું હોય છે વૉટર ટૉક્સિ

જો તમે શૌચાલયમાં લાંબો સમય બેસી રહો છો તો આ આયુર્વેદિક ટિપ્સ કામ લાગશે

સ્કિન સાથે સંકળાયેલી સમસ્યા

જો તમને લાંબા સમય સુધી પાચનની સમસ્યા રહે, તો સ્કિન સાથે સંકળાયેલી સમસ્યા પણ થઈ શકે છે. જેમાં સ્કિન ડ્રાય થવા લાગે છે.

પેટ ખરાબ થવું

જો તમારુ પેટ જલ્દી ખરાબ થાય છે, તો પાચન તંત્ર ખરાબ થવાનું લક્ષણ હોઈ શકે છે. જેનાથી બચવા માટે ડાયટમાં ફાઈબર યુક્ત વસ્તુઓ સામેલ કરવી જોઈએ.

પાચન તંદુરસ્ત રાખવું

જો તમે પાચન સાથે સંકળાયેલી સમસ્યાનો સામનો કરી રહ્યા હોય, તો ડાયટમાં ફળ, શાકભાજી, અનાજ, નટ અને ફાઈબર યુક્ત ફૂડને સામેલ કરવા જોઈએ.

શિયાળામાં પેટની ચરબી ઘટાડવા માટે આ સરળ રીત અજમાવો