ખાટી આમલીના બીજમાંથી આ 5 ફાયદા મળે છે, જાણી લો


By Vanraj Dabhi29, Aug 2023 11:57 AMgujaratijagran.com

જાણો

ખાટી આમલીમાંથી નીકળતા બીજ મોટા ભાગે લોકો નકામા સમજીને ફેંકી દેતા હોય છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

ગુણધર્મો

કેલ્શિયમ અને એન્ટિબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર આમલીના બીજ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, આવો જાણીએ નિષ્ણાંત પાસેથી

ઉપયોગ કરવાની રીત

આમલીના બીજની છાલ કાઢી પાવડર બનાવી ખાંડ સાથે મિક્સ કરો. દરરોજ સવાર સાંજ ગરમ દૂધ સાથે 1 ચમચી માત્રામાં નાખીને ખાવ.

પાવડર કેવી રીતે બનાવવો

200 ગ્રામ આંબીલા શેકી લો, તેમાં 200 ગ્રામ સુગર કેન્ડી મિક્સ કરીને સ્ટોર કરો, દરરોજ એક ચમચી ગરમ દૂધ સાથે લો.

કેલ્શિયમથી ભરપૂર

આમલીના બીજમાં કેલ્શિયમ અને મિનરલ ભરપૂર માત્રામાં હોય છે, તેનું સેવન કરવાથી હાડકમ મજબૂત થાય છે અને સાંધાની સમસ્યા પણ દૂર થાય છે.

સફેદ સ્ત્રાવ માટે ફાયદાકાર

તેનો સેવન કરવાથી મહિલાઓમાં સફેદ સ્રાવની સમસ્યા દૂર અને તેના તેના કારણે આવતી નબળાઈ પણ દૂર થઈ શકે છે.

એન્ટી બેકટેરિયલ ગુણધર્મો

આમલીના બીજમાં રહેલ ટેનીન નામનું તત્વ બેક્ટેરિયાના નિર્માણ અને વૃદ્ધિને રોકવામાં મદદ કરે છે.

કમરના દુખાવામાં ફાયદાકાર

મોટાભાગની મહિલાઓને કમરનો દુખાવાની સમસ્યા હોય છે, આમલીના બીજમાંથી બનાવેલ પાવડર કમરના દુખાવા માટે અસરકારક દવા છે.

સુડોળ શરીર

સુંદર અને સુડોળ શરીર બનેવવા માટે દરરોજ તેનું સેવન કરવાથી થોડા દિવસમાં બદલાવ જોવા મળશે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

આમલીના બીજનું સેવન કરવાથી રોક પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને વારંવાર થતી નાની મોટી બીમારીઓથી બચાવે છે.

વાંચતા રહો

આ બીજને આહારમાં સામેલ કરો અને આવી આહાર સંબંધિત વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

એપલ સાઇડર વિનેગર પીવાથી આ ફાયદા મળે છે, આવો જાણીએ