એપલ સાઇડર વિનેગર પીવાથી આ ફાયદા મળે છે, આવો જાણીએ


By Vanraj Dabhi29, Aug 2023 11:40 AMgujaratijagran.com

જાણો

આજકાલ એપલ સાઇડર વિનેગર ન્યુટ્રિશનિસ્ટ અને ડાયેટિશિયન્સ માટે જાદુઈ રસ સાબિત થઈ રહ્યો છે.

ફાયદાકારક છે

એપલ સાઇડર વિનેગર અંગે હાર્વર્ડમાં કરવામાં આવેલ એક અભ્યાસ કહે છે કે તે ફાયદાકરક સાબિત થઈ શકે છે.

ક્યારે અને કેટલી માત્રામાં સેવન કરવુ

પરંતુ એપલ સાઇડર વિનેગર લેવાનો શ્રેષ્ઠ સમય ક્યો છે? ન્યુટ્રિશન્સ્ટ્સનું માનવું છે કે સવારે ખાલી પેટે એખ ચમચી એપલ સાઇડર વિનેગર આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક રહેશે.

મેટાબોલિઝમ વધારે

જો તમને લાગે છે કે તમારા શરીરનું વજન ઘટાડવા માટે મેટાબોલિઝમ વધારવાની જરૂર છે, તો તમે સવારના નાસ્તા પહેલા એપલ સાઇડર વિનેગર લઈ શકો છો.

ઇન્સ્યુલિન માટે સારું

તે શરીરમાં ઇન્સ્યુલિનની સંવેદનશીલતાને સુધારે છે અને પાચન પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવે છે.

બ્લડ સુગર નિયંત્રણ

બ્લડ સુગર લેવલ ઇન્સ્યુલિન દ્વારા નિયંત્રિત થાય છે અને જો તમારા શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ યોગ્ય હશે તો ડાયાબિટિસનું જોખમ પણ ઓચું રહેશે.

પાચન સુધારે

એપલ સાઇડર વિનેગર કુદરતી એસિડિક હોય છે અને જે લોકોને ખોરાક પચાવવામાં તકલીફ હોય તેમના માટે ઉત્તમ છે.

ભૂખ ઓછી લાગે

એપલ સાઇડર વિનેગર ભૂખ લાગવાની સમસ્યાને ઓછી કરે છે, જો તમે કોઈ વ્યક્તિ ખૂબ જ ભૂખ્યુ હોય અને તેના કારણે વજન ઓછું કરી શકતું નથી, તો એપલ સાઇડર વિનેગર તેને ઠીક કરશે.

કોણે સેવન ન કરવું?

સગર્ભા સ્ત્રીઓએ એપલ સાઇડર વિનેગરનું સેવન ન કરવું જોઈએ, તેમજ જો કોઈનું પેટ ભરાયેલું હોય તો તેને પણ ન લેવું જોઈએ, પેટમાં અલ્સરની સમસ્યા હોય તો પણ આનું સેવન નુકસાનકારક રહેશે.

વાંચતા રહો

જો તમને આ સ્ટોરી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

પાણીમાં પલાળેલી માત્ર બે ખજૂર સવારે ખાવાથી આ અઢળક ફાયદા મળે છે, ચાલો જાણીએ