પાણીમાં પલાળેલી માત્ર બે ખજૂર સવારે ખાવાથી આ અઢળક ફાયદા મળે છે, ચાલો જાણીએ


By Vanraj Dabhi29, Aug 2023 11:23 AMgujaratijagran.com

જાણો

રોજ ખજૂર ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે.તેના સેવનથી કાર્બોહાઈડ્રેટ્સ,ફાઈબર,પ્રોટીન,વિટામિન બી,નિટામિન કે,કેલ્શિયમ,આયર્ન જેવા તત્વો મળી રહે છે.ડો.દીક્ષા ભાવસારે તેની માહિતી ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, ચાલો જાણીએ રોજ 2 પલાળેલી ખજૂર ખાવાના ફાયદા વિશે.

કબજિયાત માટે

જે લોકો કબજિયાતની સમસ્યા હોય તેમણે દરરોજ 2 પલાળેલી ખજૂર ખાવી જોઈએ,તેમાં ફાઈબર હોય છે, જે પેટને સાફ કરવામાં મદદ કરે છે.

હૃદયના સ્વાસ્થ્ય માટે

દરરોજ પલાળેલી ખજૂર ખાવાથી તમારા હૃદયની તંદુરસ્તી પણ સુધરે છે. પલાળેલી ખજૂર ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અસરકારક છે,હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓએ ખજૂરનું સેવન કરવું જોઈએ.

બ્લડ પ્રેશર માટે

ખજૂરમાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશર ઘટાડવામાં અસરકારક છે, આ માટે તમે દરરોજ 2 પલાળેલી ખજૂર ખાઈ શકો છો.

એનિમિયા માટે

જે લોકોના શરીરમાં લોહીની ઉણપ હોય છે તેમના માટે ખજૂરનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી એનિમિયાની સમસ્યા ઓછી થઈ શકે છે.

ત્વચા માટે

ખજૂરમાં રહેલા વિટામિન્સ ત્વચાની મજબૂતાઈ જાળવી રાખે છે. તેમા એન્ટી એજિંગ ગુણ હોય છે, જે ત્વચામાં ચમક પણ લાવે છે.

હાડકાં માટે

ખજૂરમાં સેલેનિયમ,મેંગેનીઝ,કોપર અને મેગ્નેશિયમ મળી આવે છે, જે તમારા હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે.

મસલ્સ મજબૂત બનાવે

ખજૂરમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, જે મસલ્સની મજબૂતી માટે ખૂબ જ સારું માનવામાં આવે છે.

વાંચતા રહો

તમે દરરોજ તમારા આહારમાં 2 પલાળેલી ખજૂરનો પણ સમાવેશ કરી શકો છો, આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

દૂધીનું શાક ખાવાથી અઢળક ફાયદા મળે છે, આવો જાણીએ