તણાવ દૂર કરવા માટે અપનાવો આ આસાન ટિપ્સ, ચિંતાથી જરૂર મળશે છૂટકારો


By Sanket M Parekh25, Oct 2023 04:21 PMgujaratijagran.com

શું છે તણાવ?

તણાવ એક માનસિક રોગ છે. જ્યારે કોઈ પણ સ્થિતિમાં આપણું ખુદ પર નિયંત્રણ ના રહે, તો આપણને તણાવ થવા લાગે છે. જીવનમાં અનેક એવી ઘટના કે પરિસ્થિતિઓ પણ તણાવનું કારણ બની શકે છે. તણાવ થવા પર આપણા શરીરથી સ્ટ્રેસ હોર્મોન નિકળે છે.

લક્ષણ

તણાવ થવા પર ચિંતા અને ડર, ઉદાસી, ધબકારા વધી જવા, ઊંઘની સમસ્યા, બ્લડ પ્રેશર, માંસપેશિયોમાં તણાવ જેવા લક્ષણો જોવા મળે છે.

સ્મોકિંગ ના કરશો

તણાવ થવા પર લોકો સ્મોકિંગ અથવા દારૂનું સેવન કરવા લાગે છે. જણાવી દઈએ કે, વધારે સ્મોકિંગ કરવાથી શરીરની સાથે માનસિક તણાવ પણ વધે છે. એવામાં સ્મોકિંગના કરવું જોઈએ.

પૂરતી ઊંઘ લો

દરરોજ 8 કલાકની પૂરતી ઊંઘ લો. પૂરતી ઊંઘ ના લેવાથી પણ વધારે થાક લાગી શકે છે. આ સાથે જ તે તમારી મેન્ટલ હેલ્થ પર પણ વિપરિત અસર કરે છે.

એક્સરસાઈઝ કરો

એક્સરસાઈઝ કરવાથી માનસિક સ્વાસ્થ્ય સુધરે છે. આ ઉપરાંત મનને શાંત રાખવા માટે તમે મેડિટેશન પણ કરી શકો છો.

ડાયટ સુધારશે

તણાવને દૂર રાખવા માટે તમારી ડાયટમાં સુધારો કરો. આ માટે વધુમાં વધુ લીલા શાકભાજી, ફળ અને માંસને તમારી ડાયટમાં સામેલ કરી શકો છો. જેનાથી તમે શારીરિક ઉપરાંત માનસિક રીતે પણ સ્વસ્થ્ય રહેશો.

અમૃતથી કમ નથી બકરીનું દૂધ, સ્વાસ્થ્યને મળતા ચમત્કારિક ફાયદા જાણીને ચોંકશો તમે