કરચલીઓથી છુટકારો મેળવવાના સરળ ઉપાય


By Hariom Sharma14, Aug 2023 07:51 PMgujaratijagran.com

ઉંમર વધવાના કારણે તમારા ચહેરા પર કચરલીઓની સમસ્યા થવા લાગે છે. જો તમે આ સમસ્યાથી છુટકારો મેળવવા માગો છો તો, આ સરળ ઘરેલુ ઉપાયો અપનાવો.

પપૈયા

એન્ટિઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર પપૈયુ સ્કિનને હાઇડ્રોક્સી એસિડ પ્રદાન કરે છે. આની છાલ કાઢીને 20-25 મિનિટ સુધી ચહેરા પર લગાવો.

હેલ્ધી લાઇફસ્ટાઇલ

કચરલીઓનું કારણ ખરાબ લાઇફસ્ટાઇલ પણ હોઇ શકે છે. આલ્કોહોલ, ઝંક ફૂડ્સ અને શુગરનું સેવન ન કરો. હેલ્ધી ડાયેટ લો અને કરસરત કરો. સાથે જ ભરપૂર ઊંઘ લો.

ખીરા

તમે ખીરાની પેસ્ટને ચહેરા પર લગાવી શકો છો. આનાથી ત્વચા હાઇડ્રેટ રહે છે. ઘણી વાર પાણીની ઉણપના કારણે પણ કરચલીઓ આવી શકે છે.

કેળાની છાલ

એન્ટિઓક્સિડેન્ટ્સ ગુણથી ભરપૂર હોવાના કારણે કેળાની છાલ કરચલીઓછી છુટકારો અપાવવામાં મદદ કરે છે. ચહેરો ધોઇને કેળાની છાલથી થોડી વાર સુધી સ્ક્રબ કરો.

ટામેટા અને લીંબુ

ટામેટાના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ ચહેરા પર 15થી 20 મિનિટ સુધી લગાવી રાખો.

ગુલાબ જળ

કચરલીઓથી છુટકારો મેળવવા માટે ગુલાબ જળમાં હળદર અને મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો. આનાતી ચહેરાની કરચલીઓ દૂર કરવામાં મદદ મળશે.

આ 5 મસાલા ખાવાથી ઝડપથી ઘટે છે ચરબી