વધતી ગરમી અને ખરાબ ખાવા-પીવાની આદતોને કારણે કપાળ પર વારંવાર ખીલ દેખાય છે, જેને તમે ઘરમાં હાજર કેટલીક વસ્તુઓની મદદથી પણ ઘટાડી શકો છો. આવો જાણીએ આ સમસ્યાથી છુટકારો મેળવવા માટેના કેટલાક ઘરેલું ઉપાયો વિશે.
મેથીની પેસ્ટ એન્ટીબેક્ટેરિયલ છે, જે કપાળ પરના ખીલ ઘટાડવામાં મદદ કરી શકે છે. મેથી અને કપૂર મિક્સ કરીને પેસ્ટ બનાવો અને ખીલવાળી જગ્યા પર હળવા હાથે મસાજ કરો.
એપલ સાઇડર વિનેગરમાં એન્ટીસેપ્ટિક ગુણો હોય છે.જે ત્વચાના રોગો સામે રક્ષણ આપે છે અને ખીલને પણ ઘટાડે છે. તેને પાણીમાં મિક્સ કરીને લગાવવાથી કપાળ પરના ખીલથી રાહત મળે છે.
એલોવેરા જેલમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જે કપાળ પરના ખીલને ઘટાડીને ખંજવાળ અને સોજો દૂર કરે કરવામાં મદદ કરી શકે છે. રાત્રે સૂતા પહેલા એલોવેરા જેલ કપાળ પર લગાવવાથી ફાયદો થઈ શકે છે.
મધમાં રહેલા ગુણો કપાળ પરના ખીલની સમસ્યા અને તેના કારણે થતી બળતરાને દૂર કરવામાં મદદ કરે છે.કપાળ પર મધ લગાવીને થોડીવાર રહેવા દા પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો.
ઘણીવાર ગરમીને કારણે કપાળ પરના ખીલ બહાર આવે છે,આવી સ્થિતિમાં કપડામાં બરફને લપેટી કોમ્પ્રેસ કરવાથી ફાયદો થઈ શકે છે.આના ખીલથી ખંજવાળ અને બળતરાની સમસ્યા પણ ઓછી થાય છે.
ઓટમીલનો ઉપયોગ કપાળ પરના ખીલ ઘટાડવા માટે કરી શકાય છે. ઓટમીલના પેસ્ટ બનાવો અને તેને ખીલવાળી જગ્યા પર લગાવો અને 10 મિનિટ સુધી લગાવી રાખો પછી કપાળને ઠંડા પાણીથી ધોવાથી ફાયદો થશે.