ઘણાં લોકોના હાથમાં તમે ચાંદીનું કડું પહેરેલું જોયું જ હશે, જે આજકાલ ફેશન બની ગયું છે. જો કે જ્યોતિષના મતે ચાંદીના કડાનું આગવું મહત્ત્વ છે. તો ચાલો હાથમાં ચાંદીનું કડું પહેરવાના ફાયદા વિશે જાણીએ...
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ચાંદી એક એવી ધાતુ છે, જે ચંદ્રમાથી સંબંધિત છે. તેને ધારણ કરવાથી ચંદ્રમા ગ્રહ મજબૂત થાય છે.
જો તમે હાથમાં ચાંદીનું કડું પહેરો છો, તો તમારા હાથોની નસોના માધ્યમથી સમગ્ર શરીરમાં તરંગોનું સંચાર કરે છે.
એવું કહેવામાં આવે છે કે હાથમાં ચાંદીનું કડું પહેરવાથી વ્યક્તિને માનસિક શાંતિ મળે છે અને તણાવ દૂર થાય છે
એવું માનવામાં આવે છે કે, ચાંદીનું કડું પહેરવાથી મન અને શરીરને ઘણા નકારાત્મક પ્રભાવોથી બચાવ કરી શકાય છે
જો તમે નવું ચાંદીનું કડું ધારણ કરવા જઈ રહ્યા હોવ, તો સૌથી શુભ દિવસ શુક્રવારને માનવામાં આવે છે. આમ કરવાથી જીવનમાં અનેક લાભ મળે છે