બાળકોની આંખમાં કાજલ લગાવવું બની શકે છે તમારી મોટી ભૂલ, જાણો તેનાથી થતા નુક્સાન


By Sanket M Parekh17, Jun 2023 04:28 PMgujaratijagran.com

આંખોમાં પાણી આવવું

બાળકોની આંખોમાં કાજલ લગાવવાથી તેની આંખોથી પાણી આવવાની સમસ્યા થઈ શકે છે. આવું એટલા માટે છે, કારણ કે કાજલ આંખોના ખુણામાં જામી જાય છે.

આંખની રોશની પર માઠી અસર

નાના બાળકોની આંખોમાં અનેક વખત વધારે કાજલ લગાવવાથી આંખોની વચ્ચેના હિસ્સા એટલે કે કિકીને નુક્સાન પહોંચી શખે છે. જેના કારણે આંખની રોશની પર વિપરિત અસર થાય છે.

ખણ આવવી

આંખોમાં કાજલ લગાવવાથી બાળકોને ખણ આવવા લાગે છે. જેના કારણે તેમના મગજના વિકાસમાં અવરોધ પેદા થઈ શકે છે.

આંખોમાં ઈન્ફેક્શનનું જોખમ

બાળકની આંખો નાજુક હોય છે. આંગળીથી તેમની આંખોમાં કાજલ લગાવવાથી ઈન્ફેક્શનનો ખતરો વધી શકે છે. આથી તેમની આંખો પર કાજલ ના લગાવવું જોઈએ.

સ્કિન ઈન્ફેક્શન

અનેક વખત બાળક આંખો પર લાગેલા કાજલને હાથથી રગડી નાંખે છે. જેનાથી હાથની સ્કિન પર ઈન્ફેક્શન થવાનો ખતરો વધી જાય છે.

નર્વસ સિસ્ટર પર વિપરિત અસર

કાજલમાં રહેલ લેડ બાળકો માટે જોખમી હોય છે. બાળકની આંખોમાં કાજલ ઉપયોગ કરવાથી તેમની બોડીમાં લેડ જાય છે, જે નર્વસ સિસ્ટમ પર વિપરિત અસર કરે છે.

ત્વચા યંગ રાખવા માટે અપનાવો આ ટીપ્સ