ખાલી પેટ કેળુ ખાવાની ભૂલ કદાપી ના કરશો, સ્વાસ્થ્યને થઈ શકે છે નુક્સાન


By Sanket M Parekh27, Jun 2023 04:30 PMgujaratijagran.com

પાચન સબંધી સમસ્યા

કેળા ફાઈબરથી ભરપુર હોય છે, એવામાં ખાલી પેટ કેળા ખાવાથી ગેસ, પેટ ફૂલવુ, પેટમાં ચૂંક અને કબજિયાતની સમસ્યા થઈ શકે છે.

હાર્ટબીટ અનિયમિત

કેળામાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે. આથી તેના વધારે પડતા સેવનથી હાઈપરક્લેમિયા થઈ શકે છે. જેનાથી મસલ્સ નબળા પડવા અને હ્રદયના ધબકારા અનિયમિત થવાનો ખતરો વધી જાય છે.

થાક લાગવો

આમ તો કેળા ખાવાથી એનર્જી મળે છે, પરંતુ ખાલી પેટ કેળા ખાવાથી તમને ખૂબ જ જલ્દી થાક લાગવા લાગે છે.

કેલ્શિયમ અને મેગ્નેશિયમનું અસંતુલન

કેળાને ક્યારેય ખાલી પેટ ના ખાવા જોઈએ. ખાલી પેટ કેળા ખાવાથી શરીરમાં મેગ્નેશિયમની માત્રા વધે છે, જેના કારણે શરીરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના લેવલમાં અસંતુલન વધી જાય છે

સુગર લેવલ વધે

જો તમે ડાયાબિટીશના દર્દી હોવ, તો ખાલી પેટ કેળા ખાવાથી તમારા બ્લડમાં સુગરનું લેવલ વધી જાય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે નુક્સાનદાયક નીવડી શકે છે.

દૂધ અને કેળા

જો તમે નાસ્તામાં કેળાનું સેવન કરવા માંગો છો, તો તમારી દૂધ સાથે કેળા ખાવા જોઈએ. જેનાથી તમને અનેક ફાયદા મળશે.

દહી અને કેળા

દહી સાથે કેળા ખાવા પણ લાભદાયી સાબિત થઈ શકે છે. આ માટે દહીમાં કેળાને કાપીને મિક્સ કરો અને પછી ખાવ. આ ખૂબ જ હેલ્ધી ઑપ્શન છે.

લાબું અને તંદુરસ્ત જીવન જીવવું હોય તો, આ વસ્તુઓ પલાળીને સવારે રોજ ખાઓ