વર્ષોથી ભારતીય વાનગીઓમાં ઘીનો ઉપયોગ કરવામાં આવે છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે, પરંતુ શું તમે તેના ગેરફાયદા વિશે જાણો છો, ચાલો જાણીએ તેના ગેરફાયદા.
ઘીનું વધુ પડતું સેવન કરવાથી હૃદયના દર્દીઓ માટે હાનિકારક હોઈ શકે છે કારણ કે તે સંતૃપ્ત ચરબીથી ભરપૂર છે.
ઘીમાં ચરબીયુક્ત ગાઢ રચના હોય છે,જે ચરબીનું સ્તર વધારી શકે છે અને ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઉત્તેજિત કરી શકે છે.
ઘી આપણા પાચનતંત્ર માટે પચાવામાં મુશ્કેલ છે, જો તમે વારંવાર પાચન અને પાચની સમસ્યાઓથી પરેશાન છો તો ઘીનું સેવન ન કરો.
જે લોકો પહેલેથી જ લીવર સંબંધિત સમસ્યાઓથી પરેશાન છે તેમણે પણ ઘીનું સેવન ટાળવું જોઈએ.
ગર્ભાવસ્થા દરમિયાન ઘીનું સેવન કરતી વખતે બમણી સાવધાની રાખવી જોઈએ,જો ગર્ભાવસ્થા દરમિયાન તમારું વજન ઘણું વધી જાય છે,તો ઘી બિલકુલ ન ખાવ.
તાવમાં ઘી ન ખાવું, ખાસ કરીને હવામાનમાં ફેરફાર વખતે આવતા તાવમાં તેનાથી તમારી સમસ્યા હજુ પણ વધી શકે છે.
જો તમે શરદી કે ઉધરસની સમસ્યાથી પીડાવ છો તો ઘીથી દૂર રહો, ઘીનું સેવન કરવાથી કફની રચના થાય છે અને તમારી સમસ્યા ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે છે.
ઘીનું સેવન કરતા પહેલા તમારા નિષ્ણાતની સલાહ પણ લેવી જોઈએ, આવી વધુ સમાચર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.