ઈલાયચી ખાવી નુકસાનકારક, જાણો કંઈ રીતે ?


By Prince Solanki24, Dec 2023 11:27 AMgujaratijagran.com

ઈલાયચી

ઈલાયચી ખાવી તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેના સેવનથી તમે ઘણા પ્રકારની સમસ્યાઓથી બચી શકો છો, પરંતુ શુ તમે જાણો છો કે વધારે માત્રામા ઈલાયચીનુ સેવન કરવાથી શરીરને નુકસાન થાય છે. ચલો જાણીએ કંઈ રીતે ?

ચામડી માટે નુકસાનકારક

જાણીને નવાઈ લાગશે કે વધારે માત્રામા ઈલાયચીનુ સેવન કરવાથી ચામડીમા એલર્જી, દાગ ધબ્બા જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો તમારી ચામડી વધારે નાજુક અને સંવેદનશીલ છે તો ઈલાયચીના સેવન પહેલા ડોક્ટરની સલાહ લો.

પથરીની સમસ્યા

ઈલાયચીનુ વધારે માત્રામા સેવન કરવાથી પેટમા પથરીની સમસ્યા થઈ શકે છે. ક્યારેક ઈલાયચીને પાચનતંત્ર સારી રીતે પચાય શકતુ નથી. જેથી તેના બીજ પેટમા જમા થઈ જાય છે અને પથરીની સમસ્યા થાય છે.

એલર્જી

ઘણા લોકોને ઈલાયચીની એલર્જીની સમસ્યા હોય છે. જો તમને પણ આવી કોઈ સમસ્યા છે તો ભૂલથી પણ ઈલાયચીનુ સેવન ન કરો. તેના સેવનથી શ્વાસની સમસ્યા પણ થઈ શકે છે.

You may also like

Walnuts Side Effects: આ લોકોએ તો ભૂલથી પણ ન ખાવા જોઈએ અખરોટ, ફાયદાને બદલે થશે નુ

હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરશે કાળી કિસમિસ, જાણો તેનું સેવન કેવી રીત

ઉલ્ટી

જો તમે જરુરત કરતા વધારે ઈલાયચીનુ સેવન કરો છો, તો ઉલ્ટીની સમસ્યા થઈ શકે છે. જેથી સિમિત માત્રામા ઈલાયચીનુ સેવન કરો.

પેટ સંબધિત સમસ્યા

ઈલાયચી એક ગરમ ખોરાક છે. તેનુ વધારે માત્રામા સેવન સમસ્યા પેદા કરી શકે છે. તેનાથી પેટ અને પાચન સંબધિત સમસ્યા થઈ શકે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

સવારે કૂદો દોરડા, મળશે અનેક સ્વાસ્થ્ય સંબધિત ફાયદા