રાત્રે જમ્યા પછી આઈસ્ક્રીમ ખાવાની ટેવ હોય તો સાવધાન,શરીરમાં થશે આ નુકસાન


By Jivan Kapuriya23, Jul 2023 10:20 AMgujaratijagran.com

રાત્રિ ભોજન પછી આઈસ્ક્રીમ

આજકાલ લોકોને ડિનર પછી આઈસ્ક્રીમ ખાવાનો શોખ વધી ગયો છે. બાળકોને આ ખૂબ જ ગમે છે.

સ્વાસ્થ્યને નુકસાન

પરતું દરરોજ રાત્રે જમ્યા પછી આઈસ્ક્રીમ ખાવું સ્વાસ્થ્ય માટે ઘણી રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

ગરમની સાથે ઠંડુ

આયુર્વેદમાં ગરમ ખોરક પછી ઠંડી વસ્તુઓનું સેવન કરવાની સખત મનાઈ છે. આને વિરોધી ડાયટ કહેવાય છે.

ઊંઘ પર અસર

ડિનર પછી આઈસ્ક્રીમ ખાવાથી ઊંઘ પર ખરાબ અસર પડે છે. આઈસ્ક્રીમમાં રહેલી ખાંડ ઊંઘની ગુણવતાને અસર કરે છે.

દાંતમાં પોલાણ

જો તમે રાત્રે આઈસ્ક્રીમ ખાધા પછી બ્રશ ન કરો તો દાંતમાં પોલાણની સમસ્યા જલ્દી વધી શકે છે.

કફની તકલીફ

રાત્રિભાજન પછી મીછાઈ ખાવાથી કફ વધવાની તકલીફ થઈ શકે છે.આનાથી શ્વાસ લેવામાં તકલીફ,ઉધરસ અથવા છાતીમાં ભારેપણાની અનુભૂતિ થઈ શકે છે.

મોટાપા

આઈસ્ક્રીમમાં રહેલી કેલરી પણ તમારું વજન વધારી શકે છે. તેમાં રહેલી ખાંડ પણ મોટાપાનું જોખમ વધારે છે.

લીવરની તકલીફ

આઈસ્ક્રીમમાં મીઠાશ માટે ફ્રુક્ટોઝ ઉમેરવામાં આવે છે. તેનું સેવન કરવાથી ફેટી લીવર અને લીવ સિરોસિસનું જોખમ વધી શકે છે.

ફ્રિજમાં રાખેલા લોટની રોટલી ખાવાથી પેટ થઇ શકે છે ખરાબ