નવરાત્રી વ્રતઃ નવદુર્ગાના ઉપવાસ કરતી વખતે આ 5 બાબતોનું ખાસ ધ્યાન રાખો


By Vanraj Dabhi12, Oct 2023 12:30 PMgujaratijagran.com

નવરાત્રી ઉત્સવ

હિંદુ ધર્મમાં નવરાત્રી પર્વમાં અલગ જ માહોલ હોય છે. નવરાત્રી વ્રત વર્ષમાં ચાર વખત રાખવામાં આવે છે. જેમાં તે પણ અશ્વિન માસની શુક્લની તિથિએ થાય છે.

માઁ જગદંબાની આરાધના

નવરાત્રી દરમિયાન જગત જનની માઁ જગદંબાના નવ સ્વરૂપોની 9 દિવસ સુધી પૂજા કરવામાં આવે છે. સુખ-શાંતિ મેળવવા માટે આ સમય દરમિયાન કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ.

આ બાબતોનું પાલન કરો

નવરાત્રીના દિવસોમાં પૂજા સંબંધિત કેટલીક બાબતોનું પાલન કરવું જોઈએ. ચાલો તમને તેમના વિશે વિગતવાર જણાવીએ.

સાફ-સફાઈ પર ધ્યાન આપો

નવરાત્રી પહેલા જ ઘરને સાફ-સફાઈ કરવાનું ધ્યાન રાખો. પર્યાવરણની સાથે સાથે શરીર અને મનની સ્વચ્છતા પણ ખૂબ જ જરૂરી છે.

કળશ સ્થાપન

નવરાત્રીના પ્રથમ દિવસે કળશની સ્થાપના યોગ્ય વિધિ-વિધાનથી કરવી જોઈએ. તેમજ શક્ય હોય તો અખંડ જ્યોતિ પ્રગટાવો.

સવાર-સાંજ આરતી કરો

નવરાત્રીના નવ દિવસ સુધી સવારે અને સાંજે માતાની આરતી કરો. ઉપરાંત માઁ દુર્ગાને મનપસંદ પ્રસાદ ચઢાવવો.

લાલ વસ્ત્રો અર્પણ કરો

નવરાત્રી પર માઁ દુર્ગાને લાલ વસ્ત્રો અર્પણ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત માઁ ભગવતીને શૃંગારની વસ્તુઓ અર્પણ કરો.

છેલ્લા દિવસે હવન

નવરાત્રીના છેલ્લા દિવસે હવન અને પૂજા અવશ્ય કરો. તેમજ નવમા દિવસે નવ કન્યાઓને ભોજન કરાવો.

વાંચતા રહો

ધર્મ અને આધ્યાત્મિકતા સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

4 કરોડ લોકોએ મ્યુચ્યુઅલ ફંડમાં કર્યું રોકાણ