લાલ ચોખા ખાવાના 7 અદ્ભુત ફાયદા


By Vanraj Dabhi02, Jun 2024 04:46 PMgujaratijagran.com

લાલ ચોખા

ઘણા લોકોને દરેક શાક સાથે ભાત ખાવાનું પસંદ હોય છે.પરંતુ શું તમે જાણો છો કે જો તમે સામાન્ય ભાતને બદલે લાલ ભાત ખાવાથી ઘણા ફાયદા થઈ શકે છે.

વજન ઘટાડે

લાલ ચોખા ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રાખે છે જે તમને અતિશય આહાર લેવાથી બચાવે છે,આ તમને વજન ઘટાડવામાં મદદ કરે છે.

પાચન સુધારે

લાલ ચોખામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે.તેનું સેવન કરવાથી પાચનક્રિયા સુધારવામાં મદદ મળે છે.

કબજિયાત

કબજિયાતની સમસ્યા હોય તો તમે આહારમાં લાલ ચોખાનો સમાવેશ કરી શકો છો.આ સ્ટૂલ પસાર કરવાનું સરળ બનાવે છે.

હાડકાં સ્વસ્થ રાખે

હાડકાં સ્વસ્થ રાખે

લાલ ચોખાનું સેવન હાડકાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

લાલ ચોખામાં રહેલા ગુણો શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે

એક અભ્યાસ મુજબ કેટલાક લોકોને 6 મહિના સુધી લાલ ચોખા ખાવાથી તેનું એલડીએલ (ખરાબ કોલેસ્ટ્રોલ)નું સ્તર ઘટ્યું હતું.

બ્લડ સુગર લેવલ

ડાયાબિટીસના દર્દીઓએ લાલ ચોખાનું સેવન કરી શકો છો.તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો છે.તે બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખે છે.

ડૉક્ટરની સલાહ

શરીર સંબંધિત સમસ્યાઓના કિસ્સામાં, ડૉક્ટરની સલાહ લીધા પછી જ લાલ ચોખાનું સેવન કરો.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ડાયાબિટીસના દર્દીઓ માટે દુધીનો રસ પીવો છે ફાયદાકારક