શિવલિંગની સંપૂર્ણ પ્રદક્ષિણા નહીં કરવા પાછળનું રહસ્ય નથી ખબર! ચાલો જાણીએ


By Vanraj Dabhi11, Aug 2024 06:23 PMgujaratijagran.com

ભગવાન શિવની પૂજા

દેવતાઓના દેવ મહાદેવની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે, સકારાત્મક ઊર્જા ઘરમાં જળવાય રહે છે.

કાર્યમાં સફળતા મળે

વિધિ પૂર્વક ભગવાન શિવની આરાધના કરવાથી વ્યક્તિએ કરેલા કાર્યોમાં સફળતા મળે છે અને જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે.

ભગવાન શિવની પ્રદક્ષિણા

ઘણા લોકો ભગવાન ભોળાનાથની પૂજા કરતી વખતે શિવલિંગની આસપાસ પ્રદક્ષિણા કરે છે.શિવલિંગની પરિક્રમા કરવાના કેટલાક નિયમો છે.

અર્ધપરિક્રના નિયમ

શિવલિંગની માત્ર અડધી પરિક્રમા કરવી જોઈએ. તે પૂર્ણ ન કરવી જોઈએ. શિવલિંગના જળાશયને ક્યારેય ન ઓળંગવું જોઈએ.

શું સમસ્યાઓ થાય

શિવલિંગના જળાશયને ઓળંગવાથી રજ ગુણોમાં ઘટાડો થાય છે. જેથી મુશ્કેલી વધી શકે છે.

ડાબી બાજુથી પ્રદક્ષિણા કરો

શિવલિંગની પરિક્રમા હંમેશા ડાબી બાજુથી કરવી જોઈએ. તેમજ જલધારી પાસેથી વળી જવું જોઈએ.

જમણી તરફ પાછા આવો

જળાશય પાસેથી પાછા આવો અને જમણી બાજુ સુધી વર્તુળ કરો.

વાંચતા રહો

શિવલિંગની પરિક્રમા કરતી વખતે આ નિયમોનું ધ્યાન રાખવું જોઈએ. આવા અન્ય સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

હળદરનું તિલક લગાવવાથી શું થાય છે?