હિંદુ ધર્મમાં તિલકનું ઘણું મહત્વ છે, પૂજા પાઠ અથવા કોઈ શુંભ પ્રંસગે કપાળના વચ્ચેના ભાગે તિલક કરવામાં આવે છે. તિલક કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચય થાય છે સાથે એકાગ્રતા પણ વધે છે
હળદરનું મહત્વ માત્ર ખાવામાં નથી થતું પરંતુ તેનું જ્યોતિષીના દ્રષ્ટીએ પણ ખૂબ મહત્વ છે. કોઈ પણ પૂજા પાઠમાં હળદરનું ઉપયોગ જરુરથી કરવામાં આવે છે
હળદરને સૌભાગ્ય અને સમૃદ્ધીનો પ્રતિક માનવામાં આવે છે, આનું તિલક કરવાથી સૌભાગ્ય ખૂલે છે અને ઘરમાં સુખ સમૃદ્ધી આવે છે
હળદરનુું તિલક લગાવવાથી કુંડળીમાં ગુરુની સ્થિતી મજબૂત થાય છે અને તેથી શિક્ષાના ક્ષેત્રમાં પણ સફળતા મળે છે
માથા પર રોજ હળદરનું તિલક લગાવવાથી નકારાત્મકતા દૂર થાય છે સકારાત્મકતા આવે છે.
હળદરનું તિલક લગાવવાથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે, અને ધન પ્રાપ્તીના રસ્તા ખૂલે છે
આપણા શરીરમાં ઉર્જાનો 7 કેન્દ્રો હોય છે એમા કપાળના વચ્ચે એક હોય છે