ગુલાબની પાંખડીઓ ખાવાથી શરીરને મળે છે આ 4 ફાયદા


By Hariom Sharma17, Nov 2023 01:20 PMgujaratijagran.com

ગુલાબની પાંખડીઓ

ગુલાબની પાંખડીઓ ચામડીની સાથે સાથે શરીરનાં સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. તેના ફૂલો ખાવાથી શરીરમાં થતી ઘણી સમસ્યાઓથી બચી શકાય છે. તેનાં પત્તામાં પોલીફેનોલ્સ અને કેટલાક એંટી ઓક્સિડેંટ તત્વો રહેલા છે. આ શરીરને મેદસ્વિતા સાથે સંબઘિત સમસ્યાઓથી બચાવે છે.

પીરીયડ્સ

ગુલાબની પાંખડીઓ મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પીરીયડ્સમાં આવતા ક્રેમ્પ, હોર્મોન્સમાં આવતા બદલાવ વગેરેથી રાહત આપે છે.

એંજાયટી

ગુલાબની પાંખડીઓ ખાવાથી એંજાયટી અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ ઓછી કરે છે. તે માટે લોકો રાતનાં સમયે ગુલકંદ ખાવાનું પસંદ કરે છે. તેનાથી તણાવ ઓછો થાય છે.

ઊંઘ સાથે જોડાયેલ સમસ્યાઓ

જે લોકો ઊંઘ સાથે જોડાયેલ સમસ્યાથી પિડાય રહ્યા છે, તેના માટે ગુલાબની પાંખડીઓ લાભદાયી છે. સારી ઊંઘ લેવા માટે તમે ગુલાબની પાંખડીઓ ખાઈ શકો છો.

You may also like

શિયાળામાં ખૂબ જ ફાયદેમંદ છે આ ડ્રાય ફ્રૂટ્સ

આ લોકોએ ભૂલથી પણ ના ખાવો જોઈએ મૂળો

કેવી રીતે સેવન કરવું?

ગુલાબની પાંખડીઓને સીધા જ ચાવીને ખાઈ શકાય છે. તમે તેને સલાડમાં અથવા સ્મૂદીમાં નાખીને ખાઈ શકો છો.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

પાણીમાં દેશી ઘી મિલાવીને નાહવાથી સ્વાસ્થ્યને થાય છે આ 5 ફાયદા