દરેક માણસના શરીરનો એક અલગ પ્રકાર અને ચયાપચય હોય છે. આ કારણથી ઘણાં લોકો સવારે ફળ ખાવાનું ટાળે છે. જ્યારે અમુક લોકો માટે નાશ્તામાં ફ્રૂટ ખાવું સારું ગણાય છે.
દરેક ફળમાં અલગ અલગ પ્રકારના એન્જાઇમ અને એસિડ હોય છે જે આંતરડામાં બેક્ટેરિયા સાથે રિએક્ટ કરી શકે છે, અને વ્યક્તિના લક્ષણોના આધારે સારું અને ખરાબ પરિણામ આવી શકે છે.
જો તમને એસિડિટી, બળતરા, કફ સંબધીત લક્ષ્ણો સરદી, ખાંસી, સાઇનસાઇટિસ, અલર્જી, અસ્થમા, ડાયાબિટીસ અને વજન વધવા જેવા લક્ષ્ણો છે તો સવારે ખાલી પેટ ફળ ખાવાથી બચો.
ધ્યાન રાખો ફળોને એકલા જ ખાવા. ફૂટને શાકભાજી, અનાજ અને દાળ અથવા માંસની સાથે ના લેવા જોઇએ કારણ કે આ ઝેરી થઇ શકે છે. તમે સૂકા માવા સાથે તેનો ઉપયોગ કરી શકો છો.