એસિડિટીથી રાહત મેળવવા માટે આ ઘરેલું ઉપચાર અજમાવો


By Vanraj Dabhi22, Oct 2023 12:20 PMgujaratijagran.com

પેટમાં બળતરા

ઘણીવાર ખાવાની ખોટી આદતોના કારણે પેટમાં એસિડિટી થવાની બીમારી સામાન્ય બની ગઈ છે. આ બીમારી ધીમે-ધીમે પેટથી છાતી સુધી પહોચવા લાગે છે. પેટમાં એસિડ રિફ્લક્સને કારણે થતી બળતરાને ઓછી કરવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાય અજમાવી શકો છો, ચાલો જાણીએ.

સફરજન વિનેગર

પેટમાં બળતરાથી રાહત મેળવવા માટે જમ્યા પહેલા 30 મિનિટ અગાઉ આનું સેવન કરવાથી પેટમાં એસિડનું પ્રમાણ વધીને ખોરાકને ઝડપથી પચવામાં મદદ મળે છે. તેનાથી બળતરાની સમસ્યામાંથી રાહત મળી શકે છે.

લીંબુ સરબત

લીંબુમાં અલ્સર વિરોધી ગુણ હોય છે જે પેટમાં એસિડિટીને શાંત કરવામાં મદદ કરે છે. તમે દરરોજ તેનું સેવન કરી શકો છો.

એલોવેરા જ્યુસ

એલોવેરા જેલમાં એન્થ્રાક્વિનોન નામનું સંયોજન જોવા મળે છે જેમાં લેક્સેટિવ હોય છે. તે પેટની એસિડિટીને શાંત કરવામાં મદદ કરે છે.

દૂધ

પેટ અને છાતીની એસિડિટી માટે પણ ઠંડા દૂધનો ઘરેલુ ઉપચાર તરીકે ઉપયોગ કરી શકાય છે. ઠંડા દૂધમાં એન્ટાસિડ ગુણધર્મો હોય છે, જે સૌથી ખરાબ બળતરાને પણ શાંત કરે છે.

તુલસીના પાન

તુલસીના પાન પેટની બળતરામાં રાહત આપે છે. આવી સ્થિતિમાં તમે તુલસીના પાન વાળી ચા અથવા તુલસીના પાનનું પાણી પણ પી શકો છો.

કેળાનું સેવન કરો

કેળાનું સેવન કરવાથી પેટની એસિડિટીમાં પણ રાહત મળે છે. કેળા ખાવામાં ઠંડા હોય છે. તેનું સેવન કરવાથી તમે ઘણી રાહત અનુભવશો.

વરિયાળીનું સેવન

પેટની એસિડિટીને દૂર કરવા માટે વરિયાળીનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેની તાસિર ઠંડકવાળી છે તેથી તમે તેનું પાણી પી શકો છો.

વાંચતા રહો

પેટની બળતરાને દૂર કરવા માટે તમે આ વસ્તુઓ પણ ખાઈ શકો છો, આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આ રીતે હળદરનું સેવન કરો, ઈમ્યુનિટી બૂસ્ટ કરવાની સાથે સાથે ઘણી બીમારીઓમાં રાહત આપશે