Blood Sugar: શું પરેજી પાળવા છતાં વધી રહ્યું છે સુગર લેવલ? જાણે તેની પાછળના કારણ


By Sanket M Parekh20, Sep 2025 03:26 PMgujaratijagran.com

ડાયાબિટીસને કેવી રીતે કંટ્રોલ કરશો?

લાઈલાજ બીમારી ડાયાબિટીસના દર્દીઓએ અનેક પરેજી પાળવી પડતી હોય છે. આમ છતાં સુગર લેવલ કંટ્રોલમાં ના રહેતું હોય, તો તેની પાછળ પણ ઘણાં કારણો હોઈ શકે છે. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ...

હાઈડ સુગર

જ્યુસ, સોસ, પ્રોસેસ્ડ ફૂડ અને પેક્ડ સ્નેક્સમાં હાઈડ અર્થાત છૂપાયેલી સુગર હોય છે. જો તમને લાગતું હોય કે તમારી ડાયટ યોગ્ય છે, તો પણ આ વસ્તુઓના વપરાશથી સુગર વધી શકે છે.

સ્ટ્રેસ અને હોર્મોનલ અસંતુલન

તણાવને કારણે કોર્ટિસોલ હોર્મોન વધે છે, જે સુગર લેવલ વધારવામાં મદદ કરે છે. ઊંઘની ઉણપ પણ સુગર વધવાનું કારણ બની શકે છે.

સ્ટાઈલ ઑફ ઈટિંગ

ખાવાની સ્ટાઈળ ભોજનનો સમય અને ખોરાકનું પ્રમાણ યોગ્ય ન હોયો, તો તે પણ સુગર લેવલ વધવાનું એક મોટું કારણ છે. જ્યારે તમને વધુ ભૂખ લાગે, ત્યારે વધુ ખાવાથી બ્લડ સુગર વધે છે.

ફિજિકલ એક્ટિવિટીની કમી

શરીર જેટલું વધારે એક્ટિવ હશે, તેટલી જ સુગર લોહીમાં યોગ્ય રીતે ઉપયોગમાં લેવાશે. માત્ર ડાયટ દ્વારા સુગરને કંટ્રોલ કરવી ખૂબ જ મુશ્કેલ છે. આ માટે નિયમિત એક્સરસાઈઝ પણ કરવી જોઈએ.

ઈસ્યુલિન રેજિસ્ટેન્સ

ઘણી વખત આપણું શરીર ઈસ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ નથી કરી શકતું. જે ડાયાબિટીસની બીમારીનો શરૂઆતનો સંકેત હોઈ શકે છે.

દવાઓની આડઅસર

કેટલીક દવાઓ પણ બ્લડ સુગરને અસર કરી શકે છે. જો દવામાં કોઈ ફેરફાર કરવો હોય, તો તે માત્ર ડોક્ટરની સલાહથી જ કરવો જોઈએ

અનિયમિત હેલ્થ ચેકઅપ

જો સુગર વધી રહી હોય, પરંતુ નિયમિત તપાસ ના કરાવવામાં આવે, તો તેનું સાચું કારણ જાણી શકાતું નથી. HbA1c, ફાસ્ટિંગ અને પોસ્ટ લંચ સુગર ટેસ્ટ ચોક્કસપણે કરાવવા જોઈએ.

Fennel Benefit: વરિયાળી ખાવાનો બેસ્ટ ટાઇમ કયો છે?