પ્રાઈવેટ અને વિદેશી બેંકોમાં કારોબાર સંચાલન મજબૂત કરવા પર RBIએ ભાર આપ્યો


By Nileshkumar Zinzuwadiya25, Oct 2023 11:05 PMgujaratijagran.com

ખાનગી સેક્ટર

ખાનગી સેક્ટરની બેંકો અને વિદેશી બેંકોમાં કામકાજને લગતા સંચાલન મજબૂત કરવના ઉદ્દેશથી RBIએ યોગ્ય દિશા નિર્દેશ આપ્યા છે.

નિર્દેશકની નિમણૂંક

આ માટે પૂર્ણકાલિન નિર્દેશકની નિમણૂંક કરવા સૂચના આપી છે. સામાન્ય રીતે બેંકોએ પૂર્ણકાલિન નિર્દેશકની નિમણૂંક માટે બેન્કિંગ નિયામકની મંજૂરી મેળવવાની રહે છે.

બેન્કો

ઈન્ડસઈન્ડ બેંક, તમિલનાડુ માર્કેન્ટાઈલ બેંક, સીએસબી બેન્ક સહિત કેટલીક બેન્કોમાં બે પૂર્ણકાલિન નિર્દેશક નથી.વિદેશી બેંકોના પૂર્ણ માલિકીવાળા યુનિટમાં એસબીએમ બેંકમાં એક પૂર્ણકાલિન નિર્દેશક છે.

યોગ્ય નિર્ણય

બેન્કના બોર્ડે બેંકના પરિચાલન આકાર, વ્યવસાયની જટિલતા તથા અન્ય આવશ્યક સામગ્રીઓને ધ્યાનમાં રાખી પૂર્ણકાલિન નિર્દેશકોની સંખ્યા અંગે નિર્ણય કરવો જોઈએ.

એક્સિસ બેન્કનો ચોખ્ખો નફો 10 ટકા વધીને રૂપિયા 5,864 કરોડ થયો