Raksha Bandhan 2025: રક્ષાબંધનના દિવસે આ દેવતાઓને રાખડી બાંધવી જોઈએ


By Sanket M Parekh08, Aug 2025 03:54 PMgujaratijagran.com

જે બહેનોને ભાઈ ના હોય

હિંદુ ધર્મમાં રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે બહેનોને ભાઈ નથી હોતા, તેઓ દેવતાઓને રાખડી બાંધે છે. આ દિવસે સૌથી પહેલા દેવતાઓને રાખડી બાંધવી જોઈએ. જેથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય. તો ચાલો જાણીએ રક્ષાબંધનના દિવસે ક્યા ભગવાનને રાખડી બાંધવી જોઈએ...

ગણપતિ

રક્ષાબંધનના દિવસે સૌથી પહેલા ભગવાન ગણેશને રાખડી બાંધવી કે ચઢાવવી જોઈએ. આમ કરવાથી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે અને જીવનમાં ખુશી જળવાઈ રહે છે.

હનુમાનજી

રક્ષાબંધનના દિવસે ભગવાન હનુમાનને રાખડી બાંધવાથી કે ચઢાવવાથી જીવનમાં કોઈ પ્રકારનો ભય કે ડર સતાવતો નથી અને હનુમાનજી પોતાની કૃપા વરસાવે છે

શ્રીકૃષ્ણ

જ્યારે દ્રૌપદીનું ચીરહરણ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે શ્રી કૃષ્ણએ તેમની રક્ષા કરી હતી. રક્ષાબંધનના દિવસે શ્રી કૃષ્ણને રાખડી બાંધી શકાય છે, જેનાથી તેઓ જીવનના દરેક માર્ગ પર તમારી રક્ષા કરશે

શિવ

રક્ષાબંધનના દિવસે ઘણા લોકો ભગવાન શિવને રાખડી બાંધે છે. જો તમારે કોઈ ભાઈ ન હોય, તો રક્ષાબંધનના દિવસે શિવલિંગ પર રાખડી ચઢાવી શકાય છે, જેનાથી શિવજી પોતાની કૃપા વરસાવે છે.

વિષ્ણુ

રક્ષાબંધનના દિવસે બહેનોએ ભાઈ પહેલા ભગવાન વિષ્ણુને રાખડી બાંધવી જોઈએ. આમ કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને ભાઈ-બહેનોમાં પ્રેમ બની રહે છે

Raksha Bandhan 2025: શું રક્ષાબંધનના દિવસે પત્ની પતિને રાખડી બાંધી શકે છે?