જ્યારે પણ સંસ્કૃતની વાત થાય છે તો તમને ધાર્મિક કાર્યક્રમોમાં બોલવામાં આવતા મંત્ર અથવા કોઈ પંડિતની યાદ આવતી હશે.
શું તમે જાણો છો કે કઈ-કઈ જગ્યા છે, જ્યાં લોકો સામાન્ય બોલચાલમાં પણ સંસ્કૃતમાં જ વાતચીત કરે છે
મુત્તુરુ ગામ કર્ણાટકના શિમોગા શહેરથી આશરે 10 કિમી અંતરે છે. તુંગ નદીના કિનારે વસેલા આ ગામમાં સંસ્કૃત પ્રાચીન કાળથી જ બોલવામાં આવે છે
મધ્ય પ્રદેશના નરસિંહપુર જિલ્લાના મોહદ ગામની વસ્તી આશરે 3500 છે. અહીં એક હજારથી વધારે લોકો સંસ્કૃતમાં વાતચીત કરે છે.
ગનોડા ગામ અનુસૂચિત જનજાતિનું ગામ માનવામાં આવે છે અને રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં આવેલુ છે. આ ગામમાં સંસ્કૃત ધીમે ધીમે સૌના જીવનશૈલીનો ભાગ બની રહી છે.
મધ્ય પ્રદેશના ઝીરી ગામમાં ખરા અર્થમાં સંસ્કૃત સૌની ભાષા બની ચુકી છે. આ ગામમાં આશરે 95 ટકા લોકો સંસ્કૃતમાં જ વાતચીત કરે છે.