જનધન ખાતાની સંખ્યા 50 કરોડને પાર, PM મોદીએ કરી પ્રશંસા


By Nileshkumar Zinzuwadiya19, Aug 2023 04:02 PMgujaratijagran.com

જનધન ખાતા 50 કરોડને પાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું જનધન ખાતાની સંખ્યા 50 કરોડને પાર પહોંચવાના એક મહત્વના મુકામને હાંસલ કરી લીધો છે.આ જોઈને ખુશી થઈ કે આ પૈકી અડધાથી વધારે ખાતા મહિલાઓની છે.

મહિલાઓના 56 ટકા ખાતા

કેન્દ્રીય નાણા મંત્રાલયે શુક્રવારે કહ્યું હતું કે દેશમાં જનધન ખાતાની સંખ્યા 50 કરોડના આંકડાને પાર થઈ ગઈ છે, જે પૈકી 56 ટકા ખાતા મહિલાઓના છે.

67 ટકા ખાતા ગ્રામીણ અને અર્ધ-શહેરી

મંત્રાલયના એક નિવેદન પ્રમાણે આ પૈકી આશરે 67 ટકા ખાતા ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ખોલવામાં આવ્યા છે. જનધન ખાતામાં કુલ જમા રકમ રૂપિયા 2.03 લાખ કરોડથી વધારે છે.

વર્ષ 2014માં શરૂ થયેલુ અભિયાન

મોદી સરકારે વર્ષ 2014માં આર્થિક સમાવેશીકરણને ઉત્તેજન આપવા માટે જનધન બેંક ખાતા ખોલવા મોટાપાયે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેનો ઉદ્દેશ DBT સહિત અનેક આર્થિક સેવાને ગરીબો માટે ઉપલબ્ધ કરાવવાનો હતો

ઘઉંના લોટની સ્વાદિષ્ટ માલપુઆ કેવી રીતે બનાવશો, સ્ટેપ બાય સ્ટેપ રેસીપી ગુજરાતીમાં જાણી લો