Benefits of Fenugreek: આયુર્વેદિક જડીબુટ્ટી સમાન છે મેથીના દાણા, જેનાથી મળે છે ઘણા લાભ
By Jagran Gujarati20, Jan 2023 01:28 PMgujaratijagran.com
મેથીના પાંદળાનું શાક બનાવી શકાય છે અને તેના દાણા દાળમાં ઉપયોગ કરી શકાય છે. મેથીને આયુર્વેદમાં એક સારી જડીબુટ્ટી માનવામાં આવે છે.&હર્બલ દવા છે મેથીના દાણા
જો તમને પેટમાં હંમેશાં ગેસની પ્રોબ્લેમ રહેતી હોય અથવા તો પેટ ભારે ભારે લાગતું હોય, તો તમારે સવારે ખાલી પેટે પલાળેલી મેથીનું સેવન કરવું જોઇએ. આનાથી તમને એસિડીટીમાં રાહત મળશે.એસિડીટીમાં આપે છે રાહત
મેથીના દાણા બ્લડ સુગરને કંટ્રોલ રાખે છે. ડાયાબિટીસના દર્દીઓએ મેથીનું પાણી પીવું જોઇએ તેનાથી ઘણો ફાયદો થાય છે.&ડાયાબિટીસ કંટ્રોલ કરે છે
ભીની મેથીનું સેવન કરવાથી પાચનમાં વધારો થાય છે, અને ગૈસ્ટ્રાઇટિસને પણ દૂર રાખે છે. કબજિયાત, એસિડીટી જેવી બીમારીઓથી બચવા માટે તમારે મેથીનો ઉપયોગ કરવો જોઇએ. પાચનક્રિયા રાખે છે મજબૂત
મેથીના બીજ ગરમ હોય છે, આ કારણોસર જ તે કફમાં લાભકારક છે. જેને કફ વધુ બનતો હોય તેને મેથીના દાણાનો ઉપયોગ કરવો જોઇએ. પિત અને કફની બીમારીવાળાએ મેથીના પાણીનો પીવામાં ઉપયોગ કરવો જોઇએ.પિત્ત- કફમાં પણ રાહત
કોલેસ્ટ્રોલનું લેવલ વધુ હોય તે લોકોને હાર્ટ અટેક જોખમ રહે છે. રગોને સાફ રાખવા અને હૃદય રોગથી બચવા માટે તમારે મેથીના બીજને પલાળીને ખાવા જોઇએ.કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલ કરે છે
મેથીનો ઉપયોગ વર્ષોથી એક એવા પદાર્થ તરીકે કરવામાં આવે છે જે સ્તનપાન કરાવતી માતાઓને દૂધનું પ્રમાણ વધારો કરવામાં મદદરૂપ થાય છે.&સ્તનપાનમાં પણ ફાયદાકારક