નવરાત્રી 2023માં આ રંગના કપડા પહેરો, 9 દિવસમાં તમારી મનોકામના પૂર્ણ થશે


By Vanraj Dabhi12, Oct 2023 12:39 PMgujaratijagran.com

નવરાત્રીનો પ્રથમ દિવસ

નવરાત્રીના 9 દિવસ દરમિયાન દેવીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના પહેલા દિવસ માતાજી શૈલપુત્રીને સમર્પિત છે અને આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ.

બીજો દિવસ

નવરાત્રીનો બીજો દિવસ માતા બ્રહ્માણીને સમર્પિત છે. ધાર્મિક માન્યતા અનુસાર તેમને લીલો રંગ પસંદ છે. તેથી નવરાત્રીના બીજા દિવસે લીલા રંગના કપડાં પહેરો.

ત્રીજો દિવસ

નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. આ દિવસે ભૂરા કે રાખોડી કલરના વસ્ત્રો પહેરીને માતાજીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.

ચોથો દિવસ

નવરાત્રીના ચોથા દિવસ માતા કુષ્માંડાને સમર્પિત છે. આ દિવસે તમારે કેસરી કલરના કપડાં પહેરવા જોઈએ અને પૂજામાં પણ આ કલરના વસ્ત્રો પહેરવા જોઈએ.

પાંચમો દિવસ

નવરાત્રીના પાંચમા દિવસે સ્કંદમાતાજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે તમારે સફેદ રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. વાસ્તવમાં સફેદ કલર જીવનમાં શાંતિનું પ્રતિક છે.

છઠ્ઠો દિવસ

નવરાત્રીના છઠ્ઠા દિવસે માતા કાલરાત્રિની પૂજા કરવાની માન્યતા છે. આ દિવસે માત્ર વાદળી રંગના વસ્ત્રો પહેરીને જ માતાજીની પૂજા કરવી જોઈએ.

સાતમો દિવસ

નવરાત્રીના 7માં દિવસે માઁ કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે વાદળી કલરના વસ્ત્રો પહેરીને માતાજીની પૂજા કરવી વધુ શુભ માનવામાં આવે છે.

આઠમો દિવસ

આઠમના દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ગુલાબી વસ્ત્રો પહેરવા શુભ હોય છે. આ રંગ આશા અને સામાજિક ઉત્થાનનું પ્રતીક છે.

નવમો દિવસ

નવરાત્રીનો નવમો દિવસ ખૂબ જ શુભ હોય છે. આ દિવસે તમારે જાંબલી કલરના વસ્રો પહેરવા જોઈએ. તમને જણાવી દઈએ કે આ રંગ મહત્વાકાંક્ષાનું પ્રતિક છે.

વાંચતા રહો

ધર્મ અને આધ્યાત્મિકતા સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

નવરાત્રી વ્રતઃ નવદુર્ગાના ઉપવાસ કરતી વખતે આ 5 બાબતોનું ખાસ ધ્યાન રાખો