22 માર્ચથી શરૂ થયેલી નવરાત્રિ 30 માર્ચે સમાપ્ત થઈ રહી છે. હિન્દુ ધર્મ અનુસાર આ નવરાત્રિથી નવું વર્ષ શરૂ થાય છે
ભારતમાં અનેક એવા લોકો છે, જેઓ ધર્મના બંધન તોડીને તમામ ધર્મના તહેવારો ઉજવે છે.
એવા અનેક મુસ્લિમ ફિલ્મ સ્ટાર્સ છે, જેઓ નવરાત્રિ મનાવે છે. આજે અમે તમને આવા જ કેટલાક કલાકારો વિશે વાત કરવા જઈ રહ્યાં છીએ
હિના ખાન આ રમઝાને ઉમરા કરવા પહોંચી છે, પરંતુ એક્ટ્રેસ અનેક વખત માતાના દરબારમાં આશીર્વાદ લેતા જોવા મળી ચૂકી છે
સારા અલી ખાન પણ દરેક મંદિરમાં દર્શન કરે છે, પછી તે શિવ મંદિર હોય કે પછી દૂર્ગા મંદિર.
આમિર ખાનનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. બૉલિવૂડના 'મિસ્ટર પરફેક્ટનિસ્ટ'એ વડોદરામાં નવરાત્રિ વખતે દૂર્ગાપૂજામાં ભાગ લીધો હતો.
જ્યારે શાહરૂખ ખાનના પુત્ર આર્યનનું નામ ડ્રગ્સ કેસમાં ઉછળ્યું હતું, ત્યારે એક્ટર નવરાત્રિ દરમિયાન માતાજીની પૂજા કરતો જોવા મળ્યો હતો