મગની દાળમાં ભરપુર પોષક તત્વો મળી આવે છે. જેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન, ફાઈબર અને આયરન મળી આવે છે, જે આપણા શરીરને અનેક પ્રકારે ફાયદો પહોંચાડે છે.
મગની દાળને અનેક રીતે ખાઈ શકાય છે. જેની દાળ ઉપરાંત ખિચડી બનાવીને તેમજ બાફ્યા બાદ સવારે નાસ્તા તરીકે પણ ખાઈ શકાય છે.
મગની દાળમાં મળી આવતા પોષક તત્વો શરીરના થાકને દૂર કરીને એનર્જી પૂરી પાડે છે.
મગની દાળ પાચન માટે ખૂબ જ શ્રેષ્ઠ મનાય છે. પાચન સબંધી સમસ્યા થવા પર મગની દાળ ખાવાથી અનેક ફાયદા થાય છે.
ડાયાબિટીશમાં મગની દાળ રામબાણ સાબિત થાય છે. જે બ્લડ સુગરના લેવલને કંટ્રોલ કરે છે. ડાયાબિટીશમાં રાહત માટે ડાયટમાં મગની દાળને અચૂક સામેલ કરવી જોઈએ.
મગની દાળનું નિયમિત સેવન કરવાથી માંસપેશીઓ મજબૂત બને છે. મગને બાફીને સવારે નાસ્તામાં ખાવાથી ગજબનો ફાયદો થાય છે.
મગની દાળ મગજને પણ સ્વસ્થ રાખે છે. જેનાથી મેન્ટલ હેલ્થ તંદુરસ્ત રહે છે અને તણાવ પણ દૂર થાય છે.