ઘઉંના લોટની રોટલી ભારતમાં સૌથી વધુ ખાવામાં આવે છે. ઘઉં ઉપરાંત બાજરી, જવ અને અન્ય અનાજમાં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
અગાઉ માત્ર ગ્રામીણ વિસ્તારોમાં જ બાજરી અને અન્ય અનાજ મિક્સ કરીને રોટલી બનાવવામાં આવતી હતી. જો કે હવે શહેરોમાં પણ લોકો આ આદત અપનાવવા લાગ્યા છે.
સામાન્ય રીતે લોકો રોટલી બનાવતી વખતે જાણ્યે-અજાણ્યે કેટલીક ભૂલો કરી બેસે છે, જેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
એક હેલ્થ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ગેસની સીધી જ્યોત પર રોટલી શેકવી યોગ્ય નથી. આવું કરવાથી કેન્સર જેવી બીમારીઓ થવાનો ખતરો પણ રહે છે.
મોટાભાગના લોકો રોટલી બનાવવા માટે નોન-સ્ટીક પેનનો ઉપયોગ કરે છે. ભલે તેના ઉપયોગથી વસ્તુઓ ચોંટતી નથી પરંતુ નોન-સ્ટીક પેનમાં વપરાતા રસાયણો સ્વાસ્થ્ય માટે સારા નથી.
કેટલાક લોકો લોટ બાંધ્યા પછી તરત જ રોટલી બનાવવાનું શરૂ કરે છે. જોકે આ આદત બિલકુલ સારી નથી. લોટ બાંધી લીધા પછી તેને થોડી વાર માટે રાખી દેવી.
મોટાભાગના ઘરોમાં એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ રોટલી બાંધવા માટે થાય છે. ઘણા સંશોધનો દર્શાવે છે કે આમ કરવાથી ઘણી ગંભીર બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે.
કેટલાક લોકોને રોજની રોટલી સાંજે ખાવાની આદત હોય છે. વાસી રોટલી ખાવાથી તમને પેટ સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
આરોગ્ય સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.