Shravan Month: શ્રાવણ મહિનામાં આ ભૂલો ના કરતાં, ભોલેનાથ ક્રોધિત થતા વાર નહીં લાગ


By Sanket M Parekh25, Jul 2025 03:33 PMgujaratijagran.com

શ્રાવણ મહિનો

દેવાધી દેવ મહાદેવને અતિ પ્રિય મહિનો શ્રાવણ આજથી શરૂ થઈ ગયો છે. અષાઢ બાદ શ્રાવણ માસની શરૂઆત થાય છે, જે હિન્દુઓનો પવિત્ર માસ માનવામાં આવે છે.

23 ઓગસ્ટ સુધી શિવપૂજા

આ વર્ષે આજે એટલે કે 25 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે, જે આગામી 23 ઓગસ્ટ સુધી રહેશે. આ પવિત્ર મહિનામાં આવતા સોમવારના દિવસે ઉપવાસ કરવાનું વિશેષ મહત્ત્વ છે.

નિયમોનું પાલન કરો

હિન્દુ શાસ્ત્રો અનુસાર, શ્રાવણ મહિનામાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ મહિનામાં કેટલીક ભૂલો કરવાથી બચવું જોઈએ.

દુર્વ્યહાર

શ્રાવણ માસમાં કોઈની સાથે ખરાબ વર્તન ના કરો, કે કોઈનું અપમાન પણ ના કરશો. આ સાથે જ કોઈ પણ પ્રકારના વાદ-વિવાદથી બચવું જોઈએ. આ માટે તમારે તમારી વાણી પર સંયમ રાખવો જરૂરી છે.

ખરાબ વિચારો

ખરાબ કાર્યો અને ખરાબ વિચારોથી પણ દૂર રહો. પરિવાર, ગુરુ, મહેમાન કે અન્ય કોઈ પણ વ્યક્તિનું અપમાન ના કરશો.

રીંગણ ના ખાવ

શ્રાવણ માસમાં રીંગણનું શાક ના ખાવું જોઈએ, કારણે કે તેને અશુદ્ધ શાકભાજી માનવામાં આવે છે. આજ કારણોસર લોકો બીજ અને ચોથના દિવસે રીંગણ ખાવાનું ટાળે છે.

દિવસે ઊંઘવુ

શ્રાવણમાં દિવસ દરમિયાન ના સૂવું જોઈએ, કારણ કે તેનાથી ભગવાન ભોલેનાથ નારાજ થાય છે. જેના બદલે આ મહિનામાં ભગવાન ભોલેનાથની પૂજા-આરાધના કરવી જોઈએ.

તેલનો ઉપયોગ

ભગવાન ભોલેનાથની પૂજા કરનારા શ્રદ્ધાળુઓએ તેલનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે એવું માનવામાં આવે છે કે, તેનાથી ભગવાન નારાજ થાય છે.

Shravan Month 2025:શ્રાવણ મહિનામાં આ વસ્તુઓ ઘરમાં લાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થશે