Shravan Month 2025:શ્રાવણ મહિનામાં આ વસ્તુઓ ઘરમાં લાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થશે


By Sanket M Parekh25, Jul 2025 03:24 PMgujaratijagran.com

શ્રાવણનો મહિનો

શ્રાવણનો મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ માસમાં લોકો ભક્તિભાવપૂર્વક શિવજીની પૂજા કરે છે, જેનાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તમામ મનોકામના પૂર્ણ કરે છે.

મનોકામના પૂરી

શ્રાવણ મહિનામાં ભગવાન શંકરની પૂજા કરવાથી વ્યક્તિની બધી મનોકામનાઓ પૂરી થઈ જાય છે

શિવજી પ્રસન્ન

શ્રાવણના મહિનામાં ભગવાન શિવને કેટલીક એવી વસ્તુઓ છે, જે ચઢાવવાથી તેઓ પ્રસન્ન થઈ જાય છે અને પોતાના આશીર્વાદ વરસાવે છે.

પૈસાની કમી

શ્રાવણના મહિનામાં કેટલીક વસ્તુઓને ઘરમાં લાવવાથી ભગવાન શિવ ક્યારેય પૈસાની કમી નથી થવા દેતા.

ભસ્મ ઘરે લાવો

ભગવાન શિવને ભસ્મ ખૂબ જ પસંદ છે, તેથી ઘરમાં ભસ્મ લાવવાથી તેઓ પ્રસન્ન થાય છે અને પોતાના કૃપા વરસાવે છે.

ત્રિશૂલ ઘરે લાવો

શ્રાવણના મહિનામાં ચાંદી અથવા તાંબાનું ત્રિશૂળ ઘરે લાવવું શુભ મનાય છે. આવું કરવાથી ભગવાન શિવ ભક્તો પર કૃપા વરસે છે.

નાગ-નાગણ

જો આ પવિત્ર મહિનામાં નાગ-નાગણની જોડીને ઘરે લાવશો, તો પૈસાની સમૃદ્ધિ હંમેશા જળવાઈ રહેશે

ગંગાજળ

ગંગાજળ ઘરને શુદ્ધ કરે છે, જેથી શ્રાવણ મહિનામાં તેને ઘરમાં લાવીને દરેક ખુણામાં છાંટવું જોઈએ.

રુદ્રાક્ષ

શ્રાવણ માસમાં રુદ્રાક્ષ ઘરમાં લાવવાથી શાંતિનો વાસ થાય છે. તમે રુદ્રાક્ષની માળા બનાવીને પણ ગળામાં પહેરી શકો છો.

Nag Panchami: ઘરે નાગ પંચમીની પૂજા કેવી રીતે કરવી?