દૂધની સાથે શા માટે ન ખાવા જોઈએ કેળા?


By Nileshkumar Zinzuwadiya19, Oct 2024 04:12 PMgujaratijagran.com

પાચન સંબંધિત સમસ્યા

દૂધ અને કેળાનું મિશ્રણ પાચન વ્યવસ્થાને અસર કરી શકે છે. તે પાચનને ધીમુ કરી શકે છે. પેટ ભારે, ગેસ અને અપચાની સમસ્યા સર્જાઈ શકે છે.

આયુર્વેદની દ્રષ્ટિએ

આ બન્નેને એક સાથે ખાવાથી શરીરમાં ટોક્સિન્સ સર્જાય છે અને તેથી એલર્જી, શરદી સહિત કેટલીક સમસ્યા સર્જાઈ શકે છે.

વજન વધે છે

દૂધ અને કેળામાં કેલરી ભરપૂર પ્રમાણમાં હોય છે. એક સાથે ખાવાથી શરીરમાં બિનજરૂરી કેલરીનું પ્રમાણ વધી જાય છે. જેથી વજન વધે છે.

એલર્જી

કેટલાક લોકોનું માનવું છે કે દૂધ અને કેળાનું સંયોજન ખાવાથી એલર્જી થઈ શકે છે. ત્વચા પર રેશા, ખંજવાળ, અથવા અન્ય સમસ્યા સર્જાઈ શકે છે.

થાક

કેળા અને દૂધનું મિશ્રણ શરીરમાં આળસ અને થાકનો અહેસાસ કરાવી શકે છે. આ માહિતી સામાન્ય છે. વધુ માહિતી માટે નિષ્ણાતનો સંપર્ક કરી શકાય છે.

Bad Breath: મોંઢાની દુર્ગંધ દૂર કરવા અપનાવો આ દેશી નુસખા, મળશે મિનિટોમાં રિઝલ્ટ