ઉંધીયું એક પ્રખ્યાત કાઠિયાવાડી શાક છે તે તાજા શાકભાજી અને મુઠીયાથી બને છે. કાઠીયાવાડમાં તેહવારો દરમિયાન આ રેસીપી ખાસ બને છે, શિયાળામાં તીખું તમતમતું ઊંધિયું ખાવાની મજા જ અલગ છે. આવો જાણીએ સરળ રેસીપી.
વટાણા,લીલા ચણા,સુરતી પાપડી,રીંગણ,જાંબલી રતાળુ,બટાકા,શક્કરીયા, કેળું,ટામેટાં, આદુ લસણ મરચાની પેસ્ટ,લાલ મરચું પાવડર,હળદર, જીરું ધાણા, ગરમ મસાલો, આમલીનો પલ્પ, ગોળ, મીઠું, લીલું લસણ, કોથમરી, તમાલપત્ર, સૂકું લાલ મરચું, જીરું.
ઘઉંનો લોટ, બેસન,સોજી,મેથીની ભાજી, કોથમીર, લીલું લસણ, આદુ મરચાની પેસ્ટ, ખાંડ,, લીંબુનો રસ,અજમો, હિંગ, તેલ.
એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં લાલ મરચું,હળદર પાઉડર,ધાણાજીરું પાઉડર, સ્વાદ અનુસાર મીઠું એન્ડ ખાંડ નાખો.
તમામ સામગ્રી બરાબર મિક્સ કરીને લોટ બાંધી તેના નાના નાના મુઠીયા વાળો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને મુઠીયાને તળી લો.
એક કૂકરમાં તેલ તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું અને હિંગ પાઉડર, આખા લાલ મરચા નાખી સાંતળી લો.
બધા જ લીલાં શાકભાજી ઉમેરીને બરાબર મિક્સ કરીને 2 મિનિટ સુધી તળી લો.
એક કૂકરમાં વઘાર કરીને તમામ સામગ્રી નાખી કૂકર બંધ કરી 2 સીટી વાગે ત્યા સધી પકાવો.
હવે તેમાં કોથમરી ખમણ ગાર્નિશ કરી ઊંધિયુંને તમે પુરી, સલાડ અને પાપડ સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક શેક કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.