જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ગ્રહોની દશા આપણા જીવનના વિવિધ પાસાઓ જેમ કે કારકિર્દી, સંબંધો, સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિને અસર કરે છે. ગ્રહોની નબળી સ્થિતિ આપણા જીવનમાં નકારાત્મક પરિણામો લાવી શકે છે.
જ્યોતિષાચાર્ય અને ન્યુમેરોલોજિસ્ટ ડો. શેફાલી ગર્ગનું કહેવું છે કે, તમારા કર્મો જ ગ્રહોને મજબૂત કે નબળા બનાવે છે. તો ચાલો જાણીએ ગ્રહ ખરાબ થવાના ક્યા સંકેત જોવા મળે છે.
જો તમે તમારા વાળ અને નખ ગંદા રાખો છો, તો તેનો અર્થ છે કે તમારો સૂર્ય નબળો છે. સૂર્ય નબળો હોવાથી પિતાના જીવન પર સૌથી મોટી અસર પડે છે
જ્યારે કોઈ વ્યક્તિને કારણ વગર તણાવ થવા લાગે છે, તો તેનો અર્થ છે કે તેમનો ચંદ્ર નબળો છે. આ ઉપરાંત જો તમને પાણીનો બગાડ કરવામાં મજા આવવા લાગે, તો સમજી લો કે આ ચંદ્ર નબળો હોવાનો સંકેત છે.
જ્યારે કોઈ વ્યક્તિને કારણ વગર ચીડિયાપણું અને ક્રોધ આવવા લાગે છે, તો આ મંગળ નબળો હોવાનો સંકેત છે. બુધ નબળો હોય, ત્યારે તમારો સ્વભાવ ખરાબ થાય છે. આ સાથે જ તમે તમારા જ લોકોને છેતરવાનું શરૂ કરી દો છો.
જ્યારે તમે તમારા ગુરુ કે વડીલોનું સન્માન ના કરી શકો, તો તેનો અર્થ છે કે, તમારો ગુરુ નબળો છે. રાહુ જો તમે તમારા સ્વાર્થ માટે બીજાઓ પ્રત્યે ષડયંત્ર રચો છો, તો આ રાહુ નબળો હોવાનો સંકેત છે.
કેતુ નબળો હોય ત્યારે તમે અહંકારી બની જાઓ છો અને આધ્યાત્મિકતાથી દૂર થઈ જાઓ છો. જો તમે મહિલાઓનું સન્માન નથી કરતા અને તેમનું અપમાન કરો છો, તો આ શુક્ર નબળો હોવાનો સંકેત છે.
શનિને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. જો તમે કોઈની સાથે ખોટું કરો છો, તો તેનો અર્થ છે કે, તમારો શનિ નબળો હોઈ શકે છે. આ ઉપરાંત, જો તમને કામ કરવામાં મન ન લાગતું હોય અને આખો દિવસ આળસ આવતી હોય, તો આ શનિ નબળો હોવાનો સંકેત હોઈ શકે છે.